SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવાવા . ૧૫ વેદવ્યાસ ભગવાન કહે છે – शब्दार्थयोरलंकारो, द्वावलंकुरुते समम् । एकत्र निहितोहारः स्तनग्रीवामिव स्त्रियाः ।। શબ્દ અને અર્થના અલંકારે (ઉભયાલંકારે) એ છે કે જે બનેને એક સાથે રહી શેભાયમાન કરે. જેમકે એક ગ્રીવામાં જ ધારણ કરેલ હાર ચિયના કુચ અને ગ્રીવા બનેને શેભાયમાન કરે છે. વેદવ્યાસ ભગવાને સમાસક્તિ પર્યાયક્તિ ઇત્યાદિને ઉભયાલંકાર માન્યા છે. સમાપ્તિમાં અલંકાર તે સંક્ષેપમાં છે. તે સંક્ષેપ શબ્દમાં કરવામાં આવે છે, જેથી અર્થ માં પણ સંક્ષેપ થઈ જાય છે. એ સંક્ષેપ શબ્દ અને અર્થ બનેને એક સાથે શોભા કરનાર બને છે પર્યાયેકિતમાં અલંકારપણું પર્યાયપણમાં છે એમાં શબ્દને પર્યાય કરવાથી અર્થને પણ પર્યાય થાય છે, એ શબ્દ અર્થ બને એક સાથે શેભાકર બને છે. સરસ્વતીકંઠાભરણકાર લખે છે – शब्देभ्यो यः अर्थेभ्य, उपमांदि प्रतीयते; विशिष्टोऽर्थ कविना स उभयालंक्रिया मता. શબ્દ અને અર્થ બનેથી જે ઉપમાદિ વિશિષ્ટ ( નવિન ) અર્થ પ્રતીત થાય છે, તેને કવિઓ યમયાઇવર માને છે. સરસ્વતીકંઠાભરણકાર ઉપમા, રૂપક આદિ કેટલાએકને માઢાર માને છે. એનું તાત્પર્ય એ છે કે ઉપમેય ઉપમાન અને સાધચ્ચે એતે અર્થ છે અને ઉપમાવાચક “ઈવ” આદિ શબ્દ છે એ બન્નેના વેગથી ઉપમા પ્રતીત થાય છે, એથી ઉપમાને ઉભયાલંકાર માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy