SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. ૫૩ કારણથી ગાયને લેકે ગાય માને છે અને ઘોડા, ભેંસ ઇત્યાદિથી પૃથક્ સમજે છે, એને લક્ષણમાં સમજાવે. અવ્યાપ્તિના સિવાય અસંભવ દેષ પણ અદેષ વિશેષણ રાખવાથી પડે છે. કેમકે કઈ વાતનું સર્વથા નિર્દોષ હોવું અસંભવજ મનાય છે. સંકુળ” આ વિશેષણ શબ્દાર્થ ઉપર લગાડવું અયુક્ત છે. કેમકે કાવ્યપ્રકાશના મતથી ગુણ રસના ધર્મ છે, શબ્દાર્થના નથી. જેસા ધર્મા શરા વાના” જેમ શર્યાદિ ધર્મ આત્માના છે તેમ ગુણ રસના ધર્મ છે. आत्माके शौर्यादि ज्यों, धर्म कहत परवीन । माधुर्यादि बखानि त्यों धर्म मु रसके तीन ॥ જેમ આમાના શાયદિ ધર્મો પ્રવિણ પુરૂએ કહેલા છે તેમ માધુર્યાદિ ત્રણે ધર્મ રસના જાણવા. જે કઈ કહે કે શબ્દાર્થ રસના વ્યંજક છે, એથી રસના ધર્મ શબ્દાર્થમાં માની શકાય છે. તે આમ પણ કહેવું અયુક્ત છે, કેમકે આ શબ્દાર્થોમાં જેને કાવ્ય માન્યું છે, એમાં રસ છે અથવા નથી? જે નથી તે ગુણ પણ નથી. કેમકે જ્યારે ધમી નથી ત્યારે ધર્મ કેવી રીતે રહી શકશે ? અને જે છે તે “સમુગ”ના સ્થાન ઉપર રસવાન વિશેષણ શા માટે ન દીધું ? જે કહીએ કે આની અંદર પણ તેજ અર્થ છે. નહિતે આ વિશેષણ લાગી જ ન શક્ત. તેપણ “સ ”ના સ્થાન ઉપર “સંપુ” કહેવું ઠીક ન ગણાય. કેમકે “પ્રાણીમાનદેશ” ના સ્થાન ઉપર શર્યાદિમાનદેશ” કોઈ નહિ કહે. જો કેઈએમ કહે કે “સાપુ રાજા ને અભિપ્રાય એ છે કે એવા શબ્દાર્થ હોય કે જેનાથી ગુણ વ્યક્ત થાય તે એ પણ કહેવું ઠીક નથી. કેમકે કાવ્યમાં ગુણવ્યકત કરવાવાળા શબ્દાર્થ કેવળ એના ઉત્કર્ષનું કારણ થાય છે, એનું સ્વરૂપ અર્થાત્ કાવ્યત્વના સાધક થતા નથી. अनलंकृति पुनः कापि કયાંઈ ફરી અલંકાર વિના પણ” એમ લક્ષણમાં કહેવું વ્યર્થ છે, કેમકે એને અર્થ એ થાય છે, કે સર્વત્ર સાલંકાર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy