SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ સંપ્રતિ [ ૬૩ ] ક્ષય-રાગથી પીડાતા દર્દી જેવા મૌય સામ્રાજ્યને આ ઉપચારાએ પ્રારંભમાં થોડા લાભ કરી આપ્યા. કદાચ એની વધુ સ્થાયી અસર પણ થઇ શકી હાત, પરંતુ દૈવવશાત્ સંપ્રતિના સમયમાં ખાર વર્ષના ભયંકર દુષ્કાળે દેખાવ દીધા. સપાટીની નીચે જે અસ્વસ્થતાને અગ્નિ ધુંધવાઇ રહ્યો હતા તે હવે એકદમ સળગી ઉઠે એવી પિરિથિત આવી પહેાંચી. મહારાજા સંપ્રતિના જૈન પ્રભાવનાના મનેરથ, દીપકની છેલ્લી શીખાની જેમ ઝબકીને અતહિત થઇ ગયા. સંપ્રતિ જેવા કુશળ અને શ્રદ્ધાળુના સામ્રાજ્યરક્ષાના બધા પ્રયત્ના ઉપર, એના જ સતાનેાએ અંદર અંદર લડી ધૂળ વાળી દીધી. શાલીક અને એના મેાટા ભાઇ વચ્ચે કલહ થયા. શાલીક મેટા ભાઇને મારી મગધના સિંહાસન ઉપર ખેઠા. આ ગૃહકલેશની મૌ સામ્રાજ્ય ઉપર બહુ ખરાબ અસર થઇ. ગ્રીક લેાકેાના હુમલા પણુ શાલીકના સમયમાં જ શરૂ થયા. શાલીકની પછી દેવવર્મા અને શતધનુષ, નાટકના પાત્રની જેમ આવીને પાટલીપુત્રની ર’ગભૂમિ ઉપરથી અદૃશ્ય થઇ જાય છે. છેલ્લા મૌર્ય નૃપતિ બ્રહદ્રથને, એના પેાતાને જ સેનાપતિ પુષ્યમિત્ર, પગમાં ખૂંચતાં કાંટાની જેમ ઉખાડીને ફેંકી દે છે. મૌર્ય-સામ્રાજ્ય ઉપર અહીં છેલ્લા પડદો પડે છે. પાટલીપુત્રની કે મગધની પ્રજાને જાણે કે આ રાજપલટા સાથે કંઈ નીસ્બત જ ન હોય એમ દેખાય છે. સામ્રાજ્ય જેવી મેાટી નૌકા જ્યારે તળીયે ગરકાવ થતી હશે— સામ્રાજ્યના એક સેનાપતિ પેાતે જ્યારે એને જળસમાધિ આપતા હશે, ત્યારે પાટલીપુત્રની પ્રજા છેક નિશ્ચિંત બનીને બેસી નહિ રહી હાય. પરન્તુ માટે ભાગે તે। રૈયત એક ‘ સ્વામી ' જ વાંછતી હતી.એક સ્વામી જતાં બીજે સારે। સ્વામી મળી જશે એ પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy