SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ નામના બે સગા ભાઈ એ હતા. તેઓને રાજ્યમાંથી ભાગ આપ્યા ન હતા, પણ શ્રેણિકે તેમને સિંચાનક નામના ગધ હસ્તિ અને અઢારસરા વકહાર આપેત્ર હતા. વિહલ્લકુમાર વ'કહાર પહેરી, હાથી પર બેસી ગંગામાં જળક્રીડા કરવા જતા. તે જોઈ કાણિની સ્ત્રી પદ્માવતીએ તે હાર અને હાથી તેની પાસેથી લઈ લેવાનું પોતાના સ્વામીને કહ્યું. પ્રથમ તે। શ્રેણિક તેમ કરવા કબુલ ન થયા, પણ સ્ત્રી હને વશ બની, કાણિકે વિહલ્લકુમાર પાસે હાર અને હાથી માગ્યા. વિહલ્સે કહ્યું:~ કાળકુમારાદિ ૧૦ ભાઈ એને તમે રાજ્યમાં ભાગ આપ્યા છે, તેવે ભાગ મને પણ રાજ્યમાંથી આપે, એટલે મને આ હાર અને હ!થી તમને આપી દેવામાં હરકત નથી. કાણિકે રાજ્યમાંથી ભાગ આપવાનું કબુલ ન કર્યું, અને બળાત્કારે તે હાર અને હાથી લઈ લેવા માટે તેને ધમકી આપી. આથી વિહલ્લકુમાર છાનામાના પોતાના દાદા ( માનાબાપ ) ચેડારાજા ( ચેટકરાજા ) પાસે વિશાળા નગરીમાં જતા રહ્યો. આ વાતની ખબર પડતાં કાણિકે તે હાર અને હાથી મેાકલી આપવાનું અને જે તે પ્રમાણે ન બને તેા યુદ્દ કરવા તૈયાર થવાનું કહેણ માક્લાગ્યું. ચેડા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. કાણિકે પોતાના દશે ભાઈ એની મદદથી ચેડા રાજા પર ચડાઈ કરી. કણિક પાસે અગીયારે જણનું થઈ ૩૩ હજાર ધાડા, ૩૩ હજાર હાથી, ૩૩ હજાર રથ અને ૩૩ કરોડ પાયદળ જેટલું લશ્કર હતું. ચેડા રાજાએ પણ કાશી અને કૌશલ ( અયેાધ્યા ) દેશના ૧૮ રાજાને કહેવડાવ્યું કે વિહલ્લકુમારને તેના દ્વાર હાથી સાથે ચપાનગરીમાં પાછો માકલી દેવા કે કેમ ? જવાબમાં આ અઢારે દેશના રાજાઓએ હાર હાથી વગેરે પાછાં ન આપતાં, યુદ્ધુ કરવાની સલાહ આપી, તે સાથે તેઓ પાતપેાતાનુ સૈન્ય લઈ લડવા માટે ચેડા રાજાની મદદે આવ્યા. આ વખતે ચેડારાજા પાસે ૫૭ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy