SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ,, ત્રાજક એક વાર પ્રભુ મહાવીરની દેશનામાં ગયા. દેશના સાંભળ્યા પછી તેણે ભગવાનને કહ્યું:–મહાત્મન, હું સર્વ સ્થળે કરૂં છું. અને હવે અહિંથી રાજગૃહ નગરમાં જવા ઈચ્છું છું, માટે આપને જો કાંઈ કાય હોય તેા આદેશ કરેા. જવાબમાં પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગ થિકની સ્ત્રી સુલસા નામની શ્રાવિકા છે. તેને મ્હારા ધર્મ લાભ કહેજો. “ બહુ સારૂ` ' એમ કહીને તે અંખડ પ્રભુને વંદન કરીને ચાલી નીકળ્યે! અને રાજગૃહમાં આવ્યા. ત્યાં આવી તેણે વિચાર્યું કે જેણીના સદ્ગુણથી રજિત થઈને ભગવાન પણ ધ લાભ કહેવડાવે છે તે સ્ત્રી કેવી હશે ? માટે ભારે તેણીની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારી તે અબડે પ્રથમ સત્પાત્ર તિનું રુપ લઈ ને સુલસા પાસે સચિત્ત વસ્તુ આદિની યાચના કરી, પણ તેમાં તે ચલિત ન થઈ. પછી અબડે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને સુલસાના દ્વારે આવી કહ્યું કે હું બ્રહ્મા છું. ' ધરના ખીજા માણસો તેને વંદન કરવા લાગ્યા, પણ સુલસાએ તેને નમસ્કાર ન કર્યાં. વળી ખીજે દિવસે તેણે વિષ્ણુનું અને ત્રીજે દિવસે શિવનું રૂપ ધારણ કરી દર્શનાર્થે આવવા સુલસાને કહેવડાવ્યું, પરન્તુ જિનેશ્વરમાં શ્રદ્દા ધરાવતી સુલસા મિથ્યા વનાથે ન ગઈ. ત્યારે ચેાથે દિવસે તે અબડે સાક્ષાત જિનેશ્વર ભગવાનનું રૂપ ધરીને રત્નસિંહાસન બનાવ્યું અને તે પોસમે તોથ કર છે એમ લોકોને કહીને અબડે દશનાર્થે આવવા કહેવડાવ્યું, છતાં પણ સુલસા તેના દને ન ગઈ. આથી અબડને ખાત્રી થઈ કે ખરેખર પ્રભુ મહાવીરે સભામાં સુલસાની જે પ્રશ'સા કરી હતી, તે ખરેાબર છે. આથી અબડ શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયા. પોતાનો ધર્મ બન્યુ આવેલા જાણીને સુલસાએ તેનો સત્કાર કર્યાં. આ પછી અબડે કહ્યું:—બહેન, ભગવાન મહાવીરે તમને ધર્મલાભ કહ્યો છે. આ સાંભળતાં જ સુલસા અત્યંત આનંદ પામી, અને કહ્યું:–પ્રભુ સુખશાતામાં છે ? અંબડે કહ્યું: હા, હું તેમનો ધર્મોપદેશ સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy