SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૪૮ ઋષિદાસ રાજગૃહિ નગરીની ભદ્રા નામક એક સાચવાહિનીના તે પુત્ર હતા; ૩૨ સ્રો પરણ્યા હતા. એકવાર તેઓ ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા, ત્યાં તેમને વૈરાગ્ય થયા, અને માતા પિતા સ્ત્રી આદિકની રજા લઈ દીક્ષિત થયા. તેમના દીક્ષા ઉત્સવ શ્રેણિક મહારાજાએ કર્યાં. ઘણા વર્ષ સુધી તેમણે ચારિત્ર પાળ્યુ, દુષ્કર તપ કર્યાં, અને અંતિમ સમયે એક માસનું અનશન કરી તે મૃત્યુ પામી સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તેએ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે. ૪૯ અંજી ઈંદ્રપુર નામનું નગર, ઈંદ્રદત્ત રાજા, ત્યાં પુઢવીશ્રી નામની એક વેસ્યા રહેતો હતો. તેણે ચૂર્ણાદિના પ્રયાગથી રાજા, પ્રધાન, શેઠ સેનાપતિ, પુરાહિત આદિ ધણાને વશ કર્યાં હતા. અને તે મનુષ્ય સબધીના ભાગ ભાગવતી હતી. પાંત્રીસસે વર્ષ સુધી આ જાર ક સેવીને તે મરણ પામી. અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના શાહુકારને ત્યાં પુત્રીપણે અવતરી. નામ અંજી, રૂપમાં તે અધિકાધિક સુ ંદર હતી. એકવાર રાજાએ હેને જોઈ, માણસા દ્વારા માગું કર્યું. શેઠ કબુલ થયા, વિવાહ થયા અને સુખ ભાગવવા લાગ્યા. એકવાર અંજુને ગુહ્યુસ્થાનમાં શૂળ રોગ પેદા થયા. ઘણી ઘણી દવાઓ કરી, પરંતુ આરામ થયા નહિ. અંજુ મહા વેદના પામતી, આક્રંદ કરતી, વિલાપ કરતી, દુ:ખથી ક્ષીણ થતી જતી હતી. પૂર્ણાંકના ઉદયથી મહાકષ્ટ પામી નેવું વર્ષનું આયુષ્ય ભાગવી તે મરણ પામી અને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનેત સંસારના ફેરા કરતી મનુષ્ય જન્મ પામીને મહાવિદેહમાં તે સિદ્ધ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy