SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અરનાથ પ્રભુને જન્મ થયો. પિતા તથા દેવોએ જન્મ મહોત્સવ ઉજવ્યો. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા, તેથી પુત્રનું નામ અરનાથ પાડયું. યૌવનવય થતાં અરનાથ ઘણું રાણીઓ પરણ્યા. ૨૧ હજાર વર્ષની ઉમર થતાં તેઓ પિતાની જગ્યાએ રાજ્યસન પર બિરાજ્યા. આયુદ્ધશાળામાં ચરિત્ન ઉત્પન્ન થવાથી તેઓ છ ખંડ છતી, ચક્રવર્તી થયા. ૨૧ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. પછી દીક્ષા લેવાને અભિલાષ થશે. વરસીદાન આપવું શરૂ કર્યું અને તે પછી માગશર શુદિ ૧૧ ના રોજ શ્રી અરનાથે સંયમ લીધે. ત્રણ વર્ષ છવસ્થતાના વિતાવતાં કાર્તિક શુદિ ૧૨ ને દિવસે તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના પરિવારમાં ૫૦ હજાર સાધુ, ૬૦ હજાર સાધ્વીઓ ૧૮૪ હજાર શ્રાવકે અને ૩૭૨ હજાર શ્રાવિકાઓ હતાં. તેમના સાધુ સંધમાં ૨૬૦૦ અવધિજ્ઞાની, ૬૧૦ ચિદ પૂર્વધારી અને ૨૮૦૦ કેવળજ્ઞાની થયા. આખરે સમેત શિખર પર જઈ એક હજાર સાધુ સાથે શ્રી અરનાથે અનશન કર્યું. એક માસના અનશન પછી તેઓ માગશર શુદિ ૧૦ ને દિવસે ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ (મક્ષ) પામ્યા. ૨૬ અલખરાજ, એ વારાણશી નગરીના રાજા હતા. ભગવાન મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળતાં તેમને વૈરાગ્ય થયો, અને પિતાના મોટા પુત્રને રાજ્ય કાર્યભાર સેંપી તેઓ પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. ૧૧ અંગ ભણી ઘણું વર્ષ સુધી ચારિત્ર પાળ્યું અને અંત સમયે વિપૂલ પર્વત પર જઈ સંથારે કરી મેક્ષમાં ગયા. ર૭ અરિષ્ટનેમી ઉ શ્રી નેમિનાથ. સૌર્યપુર નગરના સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણીના એ પુત્ર, વર્તમાન ચોવીસીના રર મા તિર્થંકર થયા. તેઓ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી અવી, કારતક વદિ ૧૨ ના રોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy