SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સાધ્વીનું વસ્ત્ર બળવા લાગ્યું. એટલે તેમણે ટંકને કહ્યું કે તમારા પ્રમાદથી મારું વસ્ત્ર બળ્યું. ઢકે કહ્યુંઃ મહાસતીજી, હમે મૃષા બેલે છો. તમારા મત પ્રમાણે તે આખું વસ્ત્ર બન્યા પછી જ વસ્ત્ર બળ્યું કહેવાય. “બળવા માંડયું ત્યાંથી બન્યું એવો તો પ્રભુ મહાવીરનો મત છે. આથી પ્રિયદર્શનાએ પિતાની ભૂલ જોઈ અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત લીધું. ૧૬૦ પુંડરિક, કુંડરિક, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિની નામની રાજધાની હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામે રાણ હતી, તેનાથી તેને બે પુત્રો થયા. ૧ પુંડરીક, ૨ કુંડરીક. તે સમયે ધર્મઘોષ નામના સ્થવીર તે નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પઘરાજા વંદન કરવા આવ્યા. મુનિએ ધર્મ બંધ આપ્યો. રાજા વૈરાગ્ય પામે અને પુંડરીકને રાજા અને કુંડરીકને યુવરાજ પદે સ્થાપી તે દીક્ષિત થયો. પુનઃ ધર્મઘોષ સ્થીર ફરતા ફરતા તે નગરીમાં પધાર્યા. પુંડરીક અને કુંડરીક વાંદવા ગયા. ધર્મબોધ સાંભળી પુંડરીક શ્રાવક થયે અને કુંડરીકે દીક્ષા લીધી. નિઃરસ આહાર કરવાથી કુંડરીકને એકવાર શરીરમાં દાહજવર થયો. જેથી મહા વેદના થઈ. અનુક્રમે શરીર ક્ષીણ થયું. કેટલેક કાળે ફરીથી સ્થવીર ભગવાન કુંડરીક સાથે તે નગરીમાં પધાર્યા. પુંડરીક વંદન કરવા આવ્યો. પિતાના ભાઈની વ્યાધિમય સ્થિતિ જોવાથી પિતાની દાનશાળામાં યોગ્ય ઔષધથી ઉપચાર કરવાનું તેણે સ્થવીરને જણાવ્યું. સ્થવીર ભગવાને રજા આપી. કુંડરીક પિતાના સંસારી ભાઈની ઘનશાળામાં ગયા. અનેક પ્રકારની વિશુદ્ધ દવાઓથી શરીર સારું થઈ ગયું. પછી કુંડરીક ભાતભાતના સ્વાદિષ્ટ ભોજન જમવા લાગ્યા. પરિણામે સંયમમાં સ્થિર ન રહેતાં તેઓ શિથિલાચારી બની ગયા, તેમજ દીક્ષા છોડીને સંસારમાં પ્રવેશવાના સંકલ્પ કરવા લાગ્યા. એકદા તેઓ પુંડરીકિની નગરીના રાજમહેલ પાછળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy