SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અને શ્રીરામના અત્યાગ્રહથી તેમણે પોતાના વચનનું પાલન કર્યું. રામ, લક્ષ્મણ અને સીતા વન તરફ વિદાય થયા કે તરત જ પુત્રના વિરહશેાકે દશરથરાજા મૂર્છા પામ્યા અને એજ સ્થિતિમાં મૃત્યુ પામ્યા. ૧૨૪ દશા ભદ્ર ભ. મહાવીર ભરતક્ષેત્ર પર વિચરતા હતા. એ અરસામાં તેમના પરમ ભક્ત દશાર્ણભદ્ર નામના રાજા દશા ભદ્ર દેશને અધિપતિ હતા. તેને એવા નિયમ હતો કે ‘ પ્રભુ મહાવીર હાલ કયા સ્થળે બિરાજમાન છે' એના વર્તમાન મળ્યા પછી જ તે જમતા. એક પ્રસંગે ભ. મહાવીર તેજ નગરીમાં પધાર્યાં. ધામધૂમ પૂર્વક દશા ભદ્ર પ્રભુને વાંદવા ગયા. આ વખતે તેમને અભિમાન થયું કે આવી મહાન્ ઋદ્ધિ અને શાભાથી મહારા સિવાય પ્રભુને કાણ વાંદવા જતું હશે ? આ અધ્યવસાયની ખબર દેવસભામાં શક્રેન્દ્રને પડી, તેથી તે દેવે રાજાનું અભિમાન ઉતારવા એક ૫૦૦ મેાઢાવાળા હાથી બનાવ્યા, અને દરેક માઢામાં આઠ આઠ તુશળા સ્થાપ્યા. દરેક દંતુશળમાં આઠ આઠ વાવા બનાવી. દરેક વાવમાં લાખ લાખ પાંખડીવાળાં કમળા બનાવ્યા; તથા દરેક પાંખડીમાં નાટયપ્રયોગા ગેાવ્યા. આવી ઋવિડે તે ભગવાનના દર્શને આવતા હોય તેવા તેણે દેખાવ કર્યાં. આ જોઈ દશાણું ભદ્ર રાજાનું માન ગળી ગયું. તપાસને અંતે તેને જણાયું કે, આ બધી વ્યુહ રચના દેવની છે; આથી તેણે દેવનું માન ભંગ કરવાના નિશ્ચય કરી પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શક્રેન્દ્ર દીક્ષા લેવા માટે અસમ હતા, તેથી તેણે દશાણુંભદ્રના પગમાં પડી તેની ક્ષમા માગી. દશા ભદ્રે ચારિત્રનું અદ્ભુત પાલન કર્યું, ખૂબ તપશ્ચર્યા કરી, અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy