SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આજ્ઞા માગી. માતાપુત્રનો સંવાદ થયો. પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા સંવાદમાં છતી નહી. પરિણામે દીક્ષાની રજા આપવી પડી. ત્યાંથી તે રાજદરબારમાં શ્રીકૃષ્ણ વાસુદેવ પાસે ગઈ, સર્વવત વિદિત કરી અને છત્ર, મુગટ, ચામર વગેરેની માગણી કરી. કૃષ્ણ વાસુદેવે પોતે જ થાવચ્ચપુત્રને દીક્ષા મહોત્સવ કરવાનું કહ્યું. પ્રથમ તે શ્રી કૃષ્ણ થાવચ્ચકુમારને દીક્ષા નહિ લેવા અને પિતાના આશ્રય તળે આવવા સમજાવ્યું. કુમારે જવાબ આપ્યા-મહારાજા, જે તમે જન્મ, જરા અને મૃત્યુને નાશ કરી શકતા હે તે હું તમારા આશ્રયે આવું. કૃષ્ણ કહ્યું. તે તો દેવ કે દાનથી પણ બની શકે તેમ નથી. છેવટે કૃષ્ણ વાસુદેવ નગરમાં જેને દીક્ષા લેવી હોય તે લે, તેમનાં સગાં, કુટુંબન નિર્વાહ હું કરીશ.” એવો અમર પડહ વગડાવ્યા. પરિણામે એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા. થાવપુત્રે પંચમુખિ લે કર્યો અને તેમનાથ પ્રભુ પાસે દીક્ષિત થયાં. ચૌદપૂર્વને અભ્યાસ કરી તપ સંવરમાં આત્માને ભાવતાં થાવપુત્ર વિચરવા લાગ્યા. એક વખત થાવચ્ચપુત્રે પોતાના એક હજાર શિષ્યો સાથે જનપદ દેશમાં વિહાર કરવા માટે ભગવાન પાસે આજ્ઞા માગી. ભગવાને આજ્ઞા આપી. જનપદના શેલગપુર ગામના શેલગરાજા તથા પંથક પ્રમુખ તેના પાંચસો મંત્રિને પિતાના ઉપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. તે વખતે સાંખ્યમતવાળો શુક નામે પરિવ્રાજક હતે. તે અનેક લોકોને પોતાને શુચિધર્મને ઉપદેશ આપી પ્રતિબોધત, અને સુદર્શન નામે મહારૂદ્ધિવંત શેઠ શુચિ એ ધર્મનું મૂળ છે, એ સત્યમાની તેને અનુયાયી થયો. પરંતુ થાવપુત્ર “વિનય એ ધર્મનું મૂળ” છે એ સચોટ સમજાવવાથી સુદર્શન શ્રાવક થયો હતો. આ વાતની શુકને ખબર પડવાથી તે સુદર્શન પાસે આવ્ય, સુદર્શને તેને થાવપુત્ર પાસે મોકલ્યો. બંનેને સંવાદ થયે. થાવચ્ચપુત્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy