SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧ : ઈરાન, અરબસ્તાન, અને મીસર સુધી પિતાની આણ પ્રવર્તાવી હતી, અને ત્યાં જેન ધર્મને ફેલાવો કર્યો હતે. તેણે પ્રજાની સગવડ માટે સત્તર હજાર ધર્મશાળાઓ, કેટલીયે દાનશાળાઓ અને અનેક તળાવ, બગીચા તેમજ ઔષધાલયે તૈયાર કરાવી ખુલ્લો મૂકયાં હતાં. કેટલાક ઈતિહાસકાર અશેકના કહેવાતા શિલાલેખેને અશોકના નથી માનતા. કેમકે તે ધર્માનુશાસને બૌદ્ધ કરતાં જૈનધર્મ સાથે વધુ બંધ બેસતાં આવે છે. અને તેથી તેમાં ઉલ્લેખાયેલો પ્રિયદર્શી તે આ સંપ્રતિરાજ જ હતું,” એમ કહે છે. છતાં સંપ્રતિરાજ ધાર્મિકતા અને પ્રજાસેવામાં અશોક કરતાં જરાયે ઉતરતા નહે. ખારવેલ: જેના ઈતિહાસમાં મહારાજા ખારવેલનું સ્થાન અનેખું છે. ઓરિસાની ખંડગિરિની ગુફામાંથી મળી આવેલા તેના શિલાલેખ સિવાય બીજી કઈ રીતે તેમને ઈતિહાસ જાણી શકાતું નથી, શિલાલેખ ઉપરથી તેમની ધાર્મિકતા અને વીરતાની અનેક ઘટનાઓ જાણવા મળે છે. તે મૌર્ય સામ્રાજ્ય નબળું પડતાં તેને છેલ્લા રાજવી બૃહદ્રથને મારીને તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે ઇ. સ. પૂ. ૧૮૪ માં ગાદી પચાવી પાડી, તે ધર્માધ હતું તેથી જૈન અને બૌદ્ધ મુનિઓને ખૂબ રંજાડતા હતા. તેણે અશ્વમેધ યજ્ઞ કરીને પિતાને “સમ્રાટ્ર” તરીકે જાહેર કર્યો. જેને અને બૌદ્ધો પર તેને અત્યાચાર ચાલુ જ હતું. તેની ખબર કલિંગાધિપતિ જેન સમ્રાટ ખારવેલને પડી તેથી તેના પર તેણે ચઢાઈ કરી. આથી પુષ્યમિત્ર મથુરા નાસી ગયો. ખારવેલને તે માત્ર શિક્ષા જ કરવી હતી, તેથી તે પાછો ફર્યો. પણ પુષ્યમિત્રના વર્તનમાં કંઈ જ ફેર ન પડ્યો. એ પછી લગભગ ચાર વર્ષે ખારવેલે ફરી તેના ઉપર ચડાઈ કરી પુષ્યમિત્રને કબજે કર્યો. આ સમયે નંદરાજ દ્વારા લઈ જવાયેલી ઋષભદેવની કલિંગ જિનમૂર્તિ પણ મગધની લૂંટમાં સાથે સાથે લેતે આવ્યા. મહારાજા ખારવેલે દક્ષિણના સાતકર્ણિ સાથે યુદ્ધ ખેલી આંધ્ર પ્રદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy