SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ : છે. એગ એટલે શરીર વગેરેના વ્યાપારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનને વ્યાપાર, બોલને વ્યાપાર વગેરે વ્યાપાર રહ્યા હેવાથી તે શરીરધારી કેવલી સોગ કહેવાય છે. તે કેવલી પરમાત્માઓના આયુષ્યના અન્ત વખતે પરમ શુકલધ્યાનના પ્રભાવે તમામ વ્યાપારને નિરાધ થઈ જાય છે, ત્યારે તે અવસ્થાનું ગુણસ્થાન અગી કેવલી છે. અયોગી કેવલી એટલે સર્વ વ્યાપાર રહિતસર્વક્રિયા રહિત. ઉપર જોઈ ગયા તેમ, ગુણણિએમાં આગળ વધતે આત્મા કેવલજ્ઞાન મેળવી અને આયુષ્યના અનતે અગી થઈ તત્કાલ મુક્તિ પામે છે. આ વિષય આધ્યાત્મિક છે એ પ્રસંગે અધ્યાત્મની ભૂમિકાનું કંઈક દિગદર્શન કરવું ઠીક ગણાશે. - અધ્યાત્મ. સંસારની ગહન ગતિ છે. જગતમાં સુખી જીવના કરતાં દુ;ખી જીવેનું ક્ષેત્ર મહેતું છે. આધિવ્યાધિશેક-સંતાપથી લેક પરિતH છે. સુખનાં સાધને હજાર પ્રકારનાં મેજૂદ રહે પણ મેહતાપનાં દર્દો મટી શકતાં નથી. આરોગ્ય, લક્ષ્મી, સુવનિતા અને પુત્ર વગેરે મળવાં છતાં પણ દુઃખને સંયોગ ખસી શકતા નથી. નિઃસહ, ભવચકને પ્રવાસ મહાન વિષમ અને ગહન છે. " સુખ–દુખને તમામ આધાર મનવૃત્તિઓ ઉપર છે. મહાન ધનશ્ન મનુષ્ય પણ લેભના ચક્કરમાં ફસાવાથી ભારે દુઃખી રહ્યા કરે છે, જ્યારે નિર્ધન મનુષ્ય પણ, સન્તોષવૃત્તિના પ્રભાવે મન ઉપર ઉગ નહિ રાખતા હોવાથી સુખી રહે છે. મહાત્મા ભર્તુહરિનું સ્પષ્ટ કથન છે કે – " मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ?" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy