SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય દેશ અત્યાર સુધી વિજયપતાકાને ઉડાવતે નિર્વિઘતા અને શાંતિ સહિત જે પોતાની સ્વતંત્રતાના સુખને ઉપભોગ લીધા કરતો હતો, તે સ્વાતંત્ર્યસુખને સંહાર કરવા માટે ઘર વિપપ સમુદ્ર તેની સામે તે ચાલ્યો આવે છે. બહુ શતાબ્દિથી ચાલતી આવેલી ઉત્કલદેશની પવિત્રતાને છીનવી લેવાને દુર્દત મુસદ્ભાન તસ્કરો અસ્ત્રશસ્ત્રથી સજ્જ થઈને અહીં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. તીર્થસ્થાનની પવિત્રતા સચવાયેલી છે, ત્યાં સુધી જ આપણાં સર્વ સુખે પણ સચવાયેલાં છે. લક્ષાવધિ મનુષ્યની ભાગ્યરેષાને ધર્મસ્થાનની પવિત્રતા સાથે જ સુખરૂપ સંબંધ સંધાયેલો છે. આ વેળાએ જે આપણે ધર્મસ્થાનને ઈ બેસીશું, તે તે સાથે આપણું ગૌરવનો પણ સર્વથા નાશ થઈ જશે, આપણું શક્તિને લેપ થશે અને ઉકલવાસીઓનાં માનમર્યાદાયુક્ત મસ્તકે યવનોનાં ચરણોથી ચગદાશે. બંગાળામાં જેવા જેવા ઘોર અત્યાચાર થઈ ચૂક્યા છે, તેવા સર્વ અત્યાચાર ઉલવાસી જનોને પણ ભોગવવા પડશે. મુસલ્માનો વિધમ, અત્યાચારી અને વિશ્વાસઘાતક હોય છે, એ તો સર્વના જાણવામાં છે જ. આર્યોના જાતિધર્મને નાશ કરવો, આયનાં દેવદેવીઓનાં મંદિર તથા મૂર્તિઓનો સંહાર કરે અને તે મંદિરોનાં સ્થાને મસ્જિદ બંધાવવી, એ યવનોનો મુખ્ય ઉદેશ હોય છે. જે તેઓ - અરીસામાં આવશે. તો ઓરીસાની કેટલી અને કેવી દુર્દશા થશે, તેનું હું યથાર્થ વર્ણન કરવાને સમર્થ નથી. તો પણ એ દુર્દશાનું તમને હું કિંચિદ્ર દર્શન કરાવી શકીશ વનેને વિજય થતાં જ આ જગન્નાથપુરી સ્મશાન તુલ્ય બની જશે અને જગન્નાથનું મંદિર મસ્જિદનું રૂપ ધારણ કરશે. દેવના આંગણામાં ગોહત્યા થશે અને આ પ્લેચ્છ બનશે. આ ભવિષ્યવાદમાં જરા પણ અતિશયોક્તિ નથી, એ નિશ્ચિત માનવું. વધારે તે શું કહું, પણ આપણા પ્રિય–પ્રાણપ્રિય શ્રી જગન્નાથ દેવનો સદાને માટે નાશ થશે. આ વેળાએ જે આપણે આપણું પ્રાણની મમતા કરીને ઉત્સાહહીન થઈ બેસી રહીશું, આપણા ધર્મ અને આપણું પવિત્રતા માટે પ્રાણાર્પણ નહિ કરીએ, તો અનન્ત કાલપર્યન્ત આપણે નરકની યાતના ભોગવતા રહીશું. વળી એ પણ ધ્યાનમાં રાખ. વાનું છે કે, જે આપણે ધર્મરક્ષાની ચિન્તા ન રાખીને માત્ર પોતાના ધન અને પ્રાણના રક્ષણની ચિન્તામાં જ મચ્યા રહીશું, તે ભવિષ્યમાં લકે આપણને ખરેખરા ધર્મદ્રોહી, દેવદ્રોહી અને આત્મદ્રોહીનાં નિંદ્ય નામથી જ ઓળખશે. આજે ઘણે જ આનન્દને વિષય છે કે, એક ઘર સંકટના સમયમાં આપણે બધા બંધુઓ એક સ્થળે એકત્ર થએલા છીએ. આ, બંધુઓ ! આપણે સર્વ મળીને શ્રી જગન્નાથ સમક્ષ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy