SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પનામાવલી તે પેાતાના દેશમાં જવાને તત્પર થએલા છે. પરંતુ પ્રાતઃકાલમાં તેણે જે સ્વમ ોયું, તેને તે આજન્મ ભૂલી શક્યા નહિ. તેણે જોયું કે, સૂર્યમંડળમાંથી એક કિરણપંક્તિ ભૂમિપર પડીને જળ પ્રમાણે વહુન કરી રહી છે. એ સુવર્ણધારાનું પર્યંર્વસાન ક્યાં થાય છે, એ લેવામાટે પ્રભાત. તે પ્રવાહની પાછળ દાડવા લાગ્યા. બહુ દૂર નીકળી ગયા પછી તે સ્રોત એક વિશાળ અને નીલવર્ણ સમુદ્રમાં મળી ગયા અને તે આવી મળતાં જ સમુદ્રના નીલવર્ણનું સ્વર્ણવર્ણમાં પરિવતૅન થઈ ગયું. પ્રભાત એ સમુદ્રના તીરે ઊભા રહીને જોવા લાગ્યા, એટલામાં સમુદ્રમાં એકાએક શતશઃ સ્વર્ણકમલ ખીલતાં તેના જેવામાં આવ્યાં. એ સુવર્ણ—સરેાજના આશ્રયે શુભ્ર વેશધારિણી સરેાજમુખી સુન્દરી ઉષા ઊભેલી હતી. ઉષા પેાતાના હસ્તસંકેતથી પ્રભાતને પાતા પાસે આવવાની આજ્ઞા કરતી હૈાય, એવા તેના મનમાં ભાસ થયે. પ્રભાત લણા જ ગભરાઈ ગયા. તે સમુદ્રમાં પડવા જતા હતા, એટલામાં પાછળથી કાએ આવીને તેના હાથ પકડી લીધા. પ્રભાતે પાછું વાળીને જોયું તે! પાછળ પણ તે જ ચંદ્રવદના ઉષા ઊભેલી તેવામાં આવી. ઉષા મધુર સ્વરથી કહેતી હતી કે, “સમુદ્રમાં પડશા નહિ. એમ -- કરવાથી ક્દાચિત્ તમે ડૂખી જશેા. ચાલેા આપણુ બન્ને પેાતાના દેશમાં ચાલ્યાં જઈએ. અહીં દીર્ધકાળ નિવાસ કરવામાં કશે! પણ લાભ નથી. મારા અભિપ્રાયના વિચાર કરે, અને પ્રયાણના કાર્યમાં શીઘ્રતા કરેા.” સુન્દરી ઉષાના મધુર મુખમાંથી નીકળેલા એ શબ્દોને સાંભળતાં જ પ્રભાતની આનન્દમયી નિદ્રાના લાપ થયે!-તેનાં નેત્રે અચાનક ઊધડી ગયાં. સ્વપ્રમાંની ક્રાઇપણ વસ્તુ ર્દષ્ટિગેાચર ન થવાથી તે ધણા જ ગંભીર વિચારમાં પડી ગયે। અને તેને ત્યાં ચેન ન પડવાથી શય્યામાંથી તે ઊઠ્યો અને ગૃહમાંથી બહાર નીકળી અહીં તહીં ફરવા લાગ્યા. मन एव મનુષ્યાળાં જળ વધમોક્ષયો” મન જ બંધ અને મેાક્ષનું કારણ છે, એ નિયમ અનુસાર અત્યારે તેા પ્રભાતનું મન એક અત્યંત ભયંકર બંધનું જ કારણુ થયેલું હાય, એમ સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. અસ્તુ. cr ષષ્ઠ પરિચ્છે p પુષ્પનામાવલી પ્રભાત બહાર આવ્યા અને પૃથ્વીએ આજે નવીન મૂર્તિ ધારણ કરેલી હાય, એમ તેને દેખાયું. જાણી ન શકાય તેવી સુખદુઃખથી મિશ્રિત અસ્પષ્ટ છાયા પ્રકૃતિ દેવીએ પેાતાના વદનમંડળમાં ધારણ કરેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૯ www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy