SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વમ ૩ એક કરીને તેની સર્વ વૃત્તિઓના પૂર્ણતાથી વિકાસ થઈ જાય છે, ત્યારે જીતશ: નવીન નવીન ગ્રંથિવર્ડ તે બંધાતા જાય છે. સર્વ મનુષ્યાના મનમાં સંપૂર્ણ જીવનવ્યાપિની વિશ્વગ્રાસિની એક ઇચ્છા રહેલી હાય છે, અને તે ઇચ્છા અથવા આશા, ધન, માન, પદ અને પ્રભુત્વ તથા રૂપ અને યૌવન આદિથી ભરેલી છે. અવસ્થાની વૃદ્ધિ સાથે જેવી રીતે જીવનનું પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે તે સાથે મનુષ્યના મનની પ્રસ્ફુટિત વૃત્તિ પણ વધારે અને વધારે કાર્યકારિણી થતી જાય છે. એ વૃત્તિઓની અનુયાયિની આકાંક્ષા અથવા ઇચ્છાને પૂર્ણ કરવામાટે મનુષ્ય સદૈવ ગભરાયા કરે છે. સર્વેની ઇચ્છા એક જ પ્રકારની હતી નથી અર્થાત્ સર્વેની ઇચ્છા ભિન્ન ભિન્ન હેાય છે. કાઈ રૂપને જોઇને ઉન્મત્ત બની જાય છે; કાઇના હૃદયમાં ધનના લૈાભના ઉન્માદ થાય છે; કાઈ પ્રેમના ભિક્ષુક થઇને રાદન કર્યાં કરે છે; અને કાઈ પરમાત્મામાં લુબ્ધ થઈ રહે છે. જે વેળાએ જે ઇચ્છિત વસ્તુના અભાવ થાય છે, તે વેળાએ તે વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્યના મનમાં વિક્ષાલ થઈ જાય છે. પરંતુ મનુષ્ય પ્રેમના ભિક્ષુક તા નિત્યજ રહે છે. અન્ય વિષયાની ઇચ્છા ધીમે ધીમે શાન્ત થઈ શકે છે, પરન્તુ પેાતાનું મન ખીજાને આપી દીધા પછી તેના પ્રતિદાનની આશા ધીમે ધીમે શાન્ત થઈ જાય તેવી હેાતી નથી. રૂપ નહિ, તા ગુણુથી મુગ્ધ થઈને જે વેળાએ મનુષ્ય પેાતાના મનના અધિકાર બીજાના હસ્તમાં આપી દે છે, તે જ ક્ષણે તેના હૃદયના કાઈ ગુપ્ત સ્થાનમાં છૂપાયલે પ્રેમ એકાએક પ્રકટ થાય છે અને તે સંપૂર્ણ જીવનમાં વ્યાપ્ત થઈ જાય છે. એ ક્ષણે મનુષ્ય પાતાના કર્ત્તવ્યને ભૂલી જાય છે અને જ્યારે તેને પાતાના પ્રેમના બદલામાં સામાના પ્રેમ મેળવવાની આશા બંધાય છે, ત્યારે તે મેળવવામાટે તેણે જ ઉત્કંઠાવાન્ થઈ જાય છે. જે પ્રભાતકુમાર આરીસાના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવામાટે પેાતાના જીવનનું અલિદાન આપવાના નિશ્ચય કરી ચૂકયા છે, તે ઉષાના મનેાહર મુખનું અવલાકન કરવા પછી પણ પેાતાની તે પ્રતિજ્ઞાનું દૃઢતાથી પાલન કરી શકશે કે ? દેશના હિતમાટે અર્પિત કરેલા જીવતને તેણે ઉષાનાં નિષ્કપઢ મૈત્રાની કાતરતામાં ખાઈ દીધું છે! હવે જે કાઈ પ્રભાતના જીવનની અને ઉષાના દુઃખરાશિની અદલા ખદલી કરવા ઇચ્છે, તે તેમ કરવાના પ્રભાત સ્વીકાર કરશે કે નહિ, એનું હા કે નામાં કાણુ ઉત્તર આપી શકે તેમ છે? સરાવરના તીરે ાતાના મનને ખાઈને પ્રભાતકુમાર ચિન્તાપૂર્ણ હૃદયથી ઘેર પાછે આવ્યા છે, તેની ચિન્તા ઉષામયી જ છે. ક્ષણે ક્ષણે ઉષાના મધુર કંઠસ્વરના તેના હૃદયમાં પ્રતિનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy