SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનાં ચરણામાં પૃષ પાસે આવવા લાગ્યા. પ્રથમ તેણે કાઈ સાંકેતિક શબ્દના ઉચ્ચાર કર્યો અને ત્યાર પછી સમક્ષ આવીને બહુ જ વિનીત ભાવથી કહ્યું કે, “જી, મૃદાવન્દ ! હું ઇબ્રાહીમ જ છું.” ઇબ્રાહીમ એક હુન્શી ખાને (ખાજાસરા) હતા. ઇબ્રાહીમના કંઠધ્વનિ સાંભળતાં જ એ યુવક વળી વિશેષ વ્યગ્રતાથી આગળ વધ્યે અને ઘણી જ આતુરતાથી તેને પૂછવા લાગ્યા કે, “તે બ્રાહ્મણસાથે તારી મુલાકાત થઈ કે? તને વિલંબ થવાથી મારા મનમાં ઘણી જ ચિન્તા થયા કરતી હતી.” ઘણી જ મહેનત કરવા પછી મને તેના પત્તો મળ્યા. મગરિબચી જ હું તેના શેાધમાં લાગ્યા હતા. મેં હિન્દુઓનાં બધાં મૂર્તિમંદિરામાં તેના ોધ કર્યો, પણ કાઈ પણ સ્થાને તેનું નામ નિશાન મને મળી રાયું નહિ. એટલે હું મુસાફ્રિરખાનામાં જઈ પહોંચ્યા, પરંતુ ત્યાં જવું પણ વ્યર્થ થયું-અર્થાત ત્યાં પણ તે મળ્યે નહિ. અંતે નિરાશ થઈને હું અહીં પાછે। આવતા હતા, એટલામાં ઇમામવાડાવાળી મસ્જિદ પાસે એક ઝાડ તળે એક માણસ સૂતેલું હાય, એમ મારા જેવામાં આવ્યું. હું તેના યાસે ગયા. ઘણા જ શાર કરવાથી જ્યારે તે જાગીને ઉઠ્યો, ત્યારે મેં ઓળખ્યો કે તે, તે જ બ્રાહ્મણ હતા.” ઇબ્રાહીમે નમ્રતાથી ઉત્તર આપ્યું. ભ્રાહ્મણુદેવના સમાચાર સાંભળવા માટે એ યુવક એટલા બધા આતુર થઈ રહ્યો હતા કે, તેના શેાધવિશેના ઇબ્રાહીમે કહી સંભળાવેલા વૃત્તાંત તેને ત્રણેા જ કંટાળા ભરેલેા લાગ્યા. ઇબ્રાહીમના મેાલવાની સમાપ્તિ થતાં જ તેણે કહ્યું કે, “યર ! હવે એ વાતને જવા દે. કહે કે, તે આવ્યા છે કે નહિ ?” બ્રાહીમને મીઠું મરચું ભભરાવીને વાત કરવાની બહુ જ ટેવ હતી. ગમે તેવી સાધારણુ વાર્તા હેાય, પણ તેને વધારવા વિના અને તેની લાંખી પ્રસ્તાવના કર્યાં વિના તે વાત ઇબ્રાહીમ ટૂંકામાં કહી સંભળાવે, એમ કાઈ દિવસે બનતું જ નહેતું. એ પેાતાના નિયમને અનુસરીને ઇબ્રાહીમે જવાબ આપવા માંડ્યો કે, આવ્યા તેા છે, પશુ રાજીખુશીથી નથી આવ્યો. એ બ્રાહ્મણુ ણા જ નાલાયક અને ખાત હાય, એમ દેખાય છે. પહેલાં તા તેણે એમ જ કહ્યું કે, હું તારા બાદશાહની દરકાર કરતા નથી. મેં જ્યારે આપનું નામ લીધું, ત્યારે તે કાફિરે કહ્યું કે, જા તેને જઈને કહે કે, હું કાંઈ તારા તાબેદાર નથી. અવકાશ મળશે, તે આવીશ. મારા કામના વખતે હું કાઇના હુકમ માનતા નથી..' મેં તેને ધણા સમજાવ્યેા અને ઇનામ મળવાની પણુ લાલચ દેખાડી; તેાય તેણે માન્યું નહિ. જ્યારે સીધી રીતે કામ ન નીકળ્યું, ત્યારે મેં તપીને કહ્યું કે, જે તું સીધેા સીધા નહિ ચાલે, તે તારી આમ બગાડી નાંખીશતારા માઢામાં થકીશ. એ વાક્યેા સાંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy