SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસી મિત્ર ૩૭ અવશ્ય આરીસાના નિવાસી પ્રાણના મેહનો ત્યાગ કરીને સમરાંગણુમાં યુદ્ધ કરશે જ. જ્યાં સુધી આ દેશમાં મુસમાાનનું આગમન નહિ થાય, ત્યાં સુધી હું સર્વ વિદેશીય યાત્રાળુઓને પાતાના પવિત્ર તીર્થંસ્થાનની રક્ષા કરવાના ઉપદેશ આપતા રહીશ. ને એથી કાંઈ પણ સારું ફળ મળ્યું, તેા તે ઠીક; નહિ તે મારા મનના જે ઉદ્દેશ છે, તેમાં તેા કાઈ પણ ખાધા કરી શકે તેમ નથી.” પ્રભાતે પેાતાના ભવિષ્યના કાર્યક્રમની વિસ્તૃત અનુક્રમણિકા કહી સંભળાવી. “ત્યારે તું પાછે દેશમાં તેા આવવાના નથીજ ને?” અંતે ખેલવાની શક્તિ ન રહેવાથી નિરાશ થઈને યોગેશે એ સવાલ કર્યો. “ના-નથી આવવાનેા.” પ્રભાતે ટૂંકા જવાબ વાળ્યો. ‘ત્યારે મને જવા દે. મારે તા જરૂર સ્વદેશમાં જવું જ છે. એક ...તો હું ધરમાં કાઈને કાંઈ પણ કહ્યા વિના જ અહીં ચાલ્યે આવ્યે છું; એટલે ઘરના માણુસા બહુ જ ગભરાતાં હશે અને ખીજું એ કે, ને મારા પાછા ફરવામાં વધારે વિલંબ થશે, તે તેઓ કાણુ જાણે શી ઉથલપાથલ કરી નાંખશે. મિત્ર ! તારે તેા સ્ત્રી પરિવાર આદિ કશું પણ નથી, એટલે તારા મનમાં ગૃહના એટલા બધા માહ ન હેાય, એ સ્વાભાવિક છે.” ચાગેશે હારીને જવાની આજ્ઞા માગી. “હું મહાઆનંદથી તને જવાની આજ્ઞા આપું છું. તારા મનમાં આ વેળાએ અનેક નૂતન આશાએ ઉદ્ભવેલી છે, માટે મારી પ્રતિજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું કાર્ય તને પ્રિય ન લાગે, એ પણ સ્વાભાવિક છે.” પ્રભાતે માર્મિક શબ્દોમાં આનંદથી આજ્ઞા આપી. “દીક–ત્યારે હવે હું તેા પ્રયાણ કરું છું. યાત્રાળુઓના જે સમૂહા નવદ્વીપ જવાના છે, તે અહીંથી ઘેાડા જ અંતર્પર છે—તેમની સાથે જવાથી પ્રવાસ ધણા જ સુગમ થઈ પડશે. તું હવે ક્યાં રહીશ.” યોગેશે કહ્યું. “હું ક્યાં રહીશ, એ મારાથી નિશ્ચયપૂર્વક અત્યારે કહી શકાય તેમ નથી; જે સમયે ઈશ્વર જ્યાં રાખશે, ત્યાં રહીશ. અર્થાત્ મારેા એક જ સ્થાને વસવાના મનેાભાવ નથી. નાના દેશામાં પ્રવાસ કરતા રહીશ અને જે જીવતા રહ્યો, તેા પુનઃ એકવાર સ્વદેશમાં આવીને બધાંને મળીશ. નહિ તેા આજના મેળાપને જ અંતિમ મેળાપ માનીને સંતાપ રાખવાના છે.” ઉદાસ પ્રભાતે ખરેખરું કહી દીધું. યેાગેશનાં નેત્રામાં એ ઉત્તર સાંભળીને અશ્રુના આવિર્ભાવ થયા. તે વળી પણ ગદ્ગદ સ્વરે કહેવા લાગ્યા કે, મિત્ર પ્રભાત ! તારા ભવિષ્યના વિચારથી મારા મનમાં ઘણા જ ખેદ છે. હું તને વળી થાય ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy