SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ નજરુન્નિસા શકતી હતી. જો કે તે સમયે તેનું વય પણ વધારે હતું નહિ, છતાં પણ તેની આજ્ઞાનું પરિપૂર્ણતાથી પાલન કરવામાં આવતું હતું. ભત્રીજી - છતાં સુલયમાને તેને પોતાની પુત્રી કરતાં પણ વધારે યાર મહમ્મત અને લાડથી ઉછેરીને મોટી કરી હતી. જ્યારે નજીસન્નિસા વયમાં આવી ત્યારે સુલયમાને તેને સ્વતંત્રતાથી રહેવા માટે એક જુદું જ ભવ્ય ભવન બંધાવી આપ્યું હતું. એ ભવનની આસપાસ એક વિશાળ અને સુંદર ઉપવન પણ શોભી રહ્યું હતું અને પોતાની દાસીઓ સહિત નજરન આનંદપૂર્વક એ ભવનમાં નિવાસ કરતી હતી. નછન્નિસા પિતે જેમ શરીર અત્યંત રૂપવતી હતી, તેમ તેનું હૃદય પણ શુદ્ધ અને નિર્મળ હતું. તેણે બંગાળી અને ફાર્સી ભાષાને ઘણો જ સારો અભ્યાસ કરેલો હતો તથા સંગીત વિદ્યામાં પણ પોતે અદ્વિતીય પ્રવીણતા ધરાવતી હતી. અર્થાત સાહિત્ય અને સંગીતના જ્ઞાન વિનાના મનુષ્યને પુછવિહીન પશુની ઉપમા આપવામાં આવે છે, તે હીન ઉપમાને પોતાના શિરે ન આવવા દેવા માટે જ નેણે તેણે સાહિત્યમાં અને સંગીતમાં–ઉભયકળાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હાયની, એવો જ ભાસ થતો હતે. સારાંશ કે, નવ્વાબજાદી હોવા છતાં સુખ અને વૈભ- પ્રમાદપૂર્ણ માર્ગોમાં ન વળતાં સારા માર્ગે વિચરવાના વ્રતનો જ તેણે સ્વીકાર કર્યો હતો. એવી અબળાઓ વિરલ જ દષ્ટિગોચર થઈ શકે છે. જે કારાગૃહમાં નિરંજનને રાખવામાં આવ્યો હતો, તે કારાગૃહ નજરનના મકાનની પાસે જ આવેલું હતું. જે કાટડીમાં નિરંજનને પૂરવિામાં આવ્યો હતો, તેની ઉપર જ નજરનના મહાલયની બારી પડતી હતી. અર્થાત જે જે વેળાએ દુઃખના આવેશમાં નિરંજન ગીતાનો પાઠ કરતો હતો, ત્યારે ત્યારે તેનો ધ્વનિ બારીમાં વૃક્ષોની શોભાને જોતી બેઠેલી નજરનનાં કોંમાં જઈને અથડાતો હતો. તેથી તેણે પિતાની દાસીદ્વારા એ બંદીવાનની ખબર મેળવી અને તેની નિદોંપતા તથા સૌન્દર્યના સમાચાર જાણીને તે કોમલહંદયા કામિનીના અંતઃકરણમાં તેના માટે ઘણી જ દયા ઉત્પન્ન થઈ તેથી એક દિવસ સંધ્યાકાળે તે પોતે એક સંન્યાસિની જેવો શ્વેત પોશાક-સાડી-પહેરીને ગુપ્ત રીતે કારાગૃહમાં ગઈ. નિરંજન અચેતન થઈને પડ્યું હતું અને તેનું દુ:ખ ન દેખી શકવાથી વૃદ્ધ સિપાહી આત્મહત્યા કરવા જતો હતો, તેનો હાથ પકડીને તેને અટકાવનારી વેતવસના સુન્દરી છે, એ જ નજરન્ હતી. નિરંજ1 નિર્મળ મુખ અને સ્વરૂપયુક્ત શરીર જોઈને તથા તેની નીતિ અવલોકીને નજરનના મનમાં કોઈ ભિન્ન પ્રકારના ભાવને થશે. આપણે કહી તે આવ્યા છીએ જ કે, નરન જે ઈચ્છ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy