SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બેઠેલે નિરંજન પૃથ્વી પર પટકાઈ પડ્યો અને પાષાણભૂમિમાં તેના શિરોભાગનો આઘાત થવાથી તેમાંથી તત્કાળ તપ્ત શેણિતનો પ્રવાહ વહી નીકળે. એ ક્ષણે તેના નિપાતને આધાતધ્વનિ સાંભળીને પેલે વૃદ્ધ સિપાહી દેડતો ત્યાં આવી લાગ્યો, “પરમત્મન ! | વેહિ એટલા જ શબ્દો તેણે નિરંજનના મુખમાંથી નીકળેલા સાંભળ્યા અને તેણે ભૂમિપર પડેલા નિરંજનના નિર્મળ શરીરને સ્પર્શ કર્યો–પણ તેમાં તેને ચેતન જેવું કશું પણ જણાયું નહિ. તે સર્વથા નિરાશ થયા. વૃદ્ધ સિપાહીએ પણ દુઃખાતિશયથી નેત્રોમાંથી શ્રાવણું ભાદ્રપદની નીરવૃષ્ટિ વષવી અને અંતે પિતાના એક તરણુ જાતિ બાંધવને આવી રીતે અત્યાચારથી મરતો જોઈ ન શકવાથી અને પોતે પણ કંટાળી ગએલો હોવાથી કમરમાંથી ખંજર કાઢીને તેને તે પોતાના ગળાપર ચલાવવા જતે હતો, એટલામાં એક અતુલ સૌન્દર્યવતી તવસના તણ સુંદરીએ આવીને પાછળથી તેને હાથ પકડી લીધે. આશ્ચર્યથી તે વૃદ્ધ સિપાહી તે યુવતીના મુખનું અવલોકન કરતે દિમૂઢવત ઉભો રહ્યો અને નવીન આગત તરણ અબળાની દષ્ટિ ભૂમિપર પડેલા નિરંજનમાં લાગી રહી. એ તવસના લલના કાણું હશે? દ્વિતીય પરિચછેદ શ્વેતવસના સુન્દરી પ્રભાતનો આનન્દમય સમય થઈ ચૂક્યો છે. જેવી રીતે કલિયુગમાં સજ્જને વિરલા થઈ ગયા છે, તેવી રીતે આકાશમાં તારકે પણ વિરલા થયેલા જોવામાં આવે છે. મુનિજનેના મન સમાન નભેમંડળ મુદિત દેખાય છે. નિશ્ચમી જનની સંપત્તિ પ્રમાણે અંધકારમય રજનીને અંત થયેલો છે. કાંચન-સુવર્ણના ગુણથી જેવી રીતે રસપતિપારદનો રંગ પીળે થઈ જાય છે, તેવી રીતે અરુણોદયના ગુણવડે પ્રાચીપૂર્વ દિશા પિગા-પાળી થયેલી જોવામાં આવે છે. મૂર્ખના સદનમાં જેવી રીતે જ્ઞાની જનોના માનને ભંગ થાય છે, તેવી રીતે દિવસના આગમનથી ચન્દ્ર તેજહીન થસે છે. અનુગી અવનીપતિ પ્રમાણે તારક ક્ષીણ થયેલા છે અને કોઈ કાઈ ગૃહમાં બળતા રહી ગયેલા દિપક વિનય રહિતોના ગુણ પ્રમાણે શોભા વિનાના જણાય છે. અરુણનાં " , એ તારકાના પ્રકાશને પરાજય કરી નાંખ્યો છે અને શિશિરઋતુ સમાન ીિતળા જાતકાળમાં મંદમંદ વાતો વાયુ જનને અત્યંત આનદ આપતે અનુભવાય છે. પ્રિયકરોનાં પરિરંભ-આલિગનોએ પ્રિયાઓનો ત્યાગ કર્યો છે અને નિશાપતિ ચરમગિરિતટસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy