SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય લુટારાઓના હાથમાં સપડાઈ ગયાં. ભયનું નિવારણ કરવાને અંધકારાવૃત રાત્રિએ ત્યાંથી પલાયન કરીને અમે અમારા પ્રાણ તે બચાવ્યા, પણ તે જ દિવસથી પોતાની પ્રિયતમા પુત્રી ઉષાને ચિરકાલને માટે ઈબેઠાં. બહુધા લુટારાઓએ લૂંટ કરી લેવા પછી તેને મારી નાખી હશે અથવા તો પકડીને તેને પિતા સાથે ક્યાંક લઈ ગયા હશે.” ન્યાયરને રોતાં રોતાં પિતાની એ કર્મક્યા કહી સંભળાવી. એ વિશે પિતાને અભિપ્રાય આપતાં કાળાપહાડે કહ્યું કે, “એ. રૂપવતી બાળાને મારી નાખવાનું સાહસ લુટારા શામાટે કરે? તેને પકડી લઈ ગયા હોય, તો તે સંભવિત છે. પણ કોઈ પણ નોકર ચાકરને સાથે લીધા વિના આપે આટલા દૂરનો પ્રવાસ કરવાનું સાહસ કેમ કર્યું ? બીજું કોઈ સાથે હતું કે નહિ ?” લિંગ છે, તે કઠિન કૃષ્ણ પાષાણ (granite) નું બનાવેલું છે અને તેની લંબાઈ આઠ ફીટની છે. એ લિંગને કેટલોક ભાગ જમીનમાં અદશ્ય છે અને લગભગ આઠ ઇચ જેટલો ભાગ ઊપર નીકળેલો દશ્ય છે. જે બાર સ્વયંભૂ અથવા તિલિગે ગણાય છે, તેમાંનું જ એ પણ એક જ્યોતિલિંગ છે, એમ માનવામાં આવે છે. ' સ્વયંભૂ એટલે દેવના દૈવતથી પિતાની મેળે જ પ્રકટ થએલું લિંગ, એ સ્વયંભૂ શબ્દનો અર્થ થાય છે. અર્થાત એ લિગ શિલ્પકારના હાથે ઘડાયેલું હોતું નથી, અને એટલા માટે જ બીજું સાધારણ લિંગે કરતાં જોતિલિગેને મહિમા ઘણે જ મે માનવામાં આવે છે. દિવસમાં ઘણીવાર લિંગને જળ, દુગ્ધ અને ભાંગવડે સ્નાન કરાવવામાં આવે છે. પ્રત્યેક વેળાના સ્નાન પછી લિંગને વસ્ત્રથી લૂછીને સ્વચ્છ શુષ્ક કરી નાખવામાં આવે છે અને ત્યાર પછી તેને નવીન વસ્ત્ર, ચંદન અને પુષ્પથી શૃંગારવામાં આવે છે. બીજા નૈવેદ્ય આદિ પદાર્થો મૂર્તિ સમક્ષ રાખવામાં આવે છે અને તેમનો આસ્વાદ, લેવા માટે મહાદેવનું મંત્રેવડે આવાહન કરવામાં આવે છે. જે વિશાળ ઓરડામાં મહાદેવના સ્વયંભૂ લિંગનું સ્થાન છે, તે એરડે એટલે બધે અંધકારમય છે કે, દ્વિપ્રહરના સમયે પણ દીપકને પ્રકાશવિના ત્યાં કાંઈ પણ જોઈ શકાતું નથી. જે દીનજને બહારના નૃત્યસદનમાં ઊભા રહીને શિવનાં દર્શન કરે છે, તેઓ અંતર્ભાગની રચનાનું ઘણું જ થોડું અવલોકન કરી શકે છે. ધનવાન પુરુષ મહાદેવને ઘણા જ મૂલ્યવાન પદાર્થો ચડાવતા હોવાથી તેમને એરડામાં આવવાની ખાસ આજ્ઞા આપવામાં આવે છે. તેઓ લિંગને સ્પર્શ કરી શકે છે, પોતાની પૂજાના પદાર્થો ત્યાં ચડાવી શકે છે અને ખજૂરીના વૃક્ષના મોટા પાંદડાના બનાવેલા પંખાવડે મહાદેવને વાયુ પણ ઢાળી શકે છે. -- ભુવનેશ્વર મહાદેવની નિત્ય જુદા જુદા બાવીસ વિધિએ પૂજા કરવામાં આવે છે. તે બાવીસ વિધિઓ આ પ્રમાણે છે (૧) ઉષઃકાળમાં નિદ્રિત મહાદેવને જાગૃત કરવા માટે ભીષણ ઘેટાનાદ કરવામાં આવે છે. (૨) એક આર્તિપાત્રમાં ઘણીક ઘીની બત્તીઓ બાળીને મહાદેવની આત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy