________________
ધર્મનું આરાધન કરવું જોઈએ એવી જે આજ્ઞા ફરમાવી છે, તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થશે. વળી તેઓ તિથિના ભેદને ભંગજાળ તરીકે ઓળખાવે છે, ત્યારે પૂછવાનું મન થાય છે કે શું એ કેઈને છેતરવા માટેની ભૂલભૂલામણી છે કે ધર્મનું આરાધન કરવાની એક પ્રકારની ગોઠવણ છે?
આગળ તેઓ પાંચમને દિવસ ન પળાયો તે છઠ્ઠને દિવસ પાળવાનું જે વિધાન કરે છે, તે પણ એટલું જ ભ્રામક છે. એ રીતે જિનાજ્ઞાન ભંગ થાય છે; પર્વતિથિનું આરાધન કરવામાં શુભાયુષ્યને બંધ વગેરે જે હેતુએ કહેલા છે, તે સચવાતા નથી અને એક મનુષ્ય પાંચમને બદલે છ સંવત્સરી કરે અથવા અનુકૂળતા મુજબ સાતમ, આઠમ કે નામે સંવત્સરી કરે તે સકળ સંઘમાં ભંગાણ પડે અને એકવાક્યતા તૂટી જાય એ નિશ્ચિત છે. આ સંગમાં ઉપર્યુક્ત વચનેને કેઈપણ પ્રકારનું મહત્ત્વ શી રીતે આપી શકાય ? તાત્પર્ય કે તિથિચર્ચાનાં નિરાકરણને અત્યંત મહવનું માની તે માટે શક્ય પ્રયત્નો કરવા જ જોઈએ.
નિરાકરણ માટેના જુદા જુદા માર્ગો.
કેટલાક કહે છે કે તે માટે વિ. સં. ૧૯૦ માં અમદાવાદ ખાતે જેવું સાધુ સંમેલન યોજાયું હતું, તેવું જ બીજું સાધુસંમેલન જાવું જોઈએ અને તેના દ્વારા આ પ્રશ્નનું એગ્ય નિરાકરણ લાવવું જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com