SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ राजा जयभट २ जानां ताम्रपत्रो ભાષાન્તર v સ્વસ્તિ ! કાયાવતાર નિવાસસ્થાનથી— ( પં. ૧ )લક્ષ્મીનું અનિશ નિવાસસ્થાન, તૃષ્ણાના સંતાપ હરનાર ( શમાવનાર), દીન અને અનાથને સહાય આપી મહિમામાં વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણકુલેાથી ઉપલેગ થતી લક્ષ્મીસંપન્ન, મહાન કર્યું નૃપના મહાન અન્વયમાં, કમલ મંડળમાં હંસ સમાન શ્રી દર્ હતેા. તેનું પવિત્ર મન કલિયુગની અસર વિનાનું હતું અને તે પેાતાનાં ઉમદા ડહાપણભર્યાં નૃત્યેાથી સર્વ નૃપાને આશ્ચર્ય પમાડતા. તેનાપર પરમેશ્વર શ્રી હર્ષદેવથી પરાજય પામેલા વલભીનાથના રક્ષણ થી પ્રાપ્ત કરેલા શ્વેત વાદળ જેવા ઝઝુમતા યશનું છત્ર હતું. (પં. ૫) તેના પુત્ર, જેનું માનસિક સુખ તેની લક્ષ્મીના સંચયને ઉપભેગ તેની પાસે ભય વગર આવનાર પ્રયિજનેા કરતા તેમ વૃદ્ધિ પામતું, જેના પ્રતાપને અગ્નિ અનેક શત્રુ વંશને ભસ્મ કરવાની શક્તિવાળેા હતા, અને જેણે દિગ્વધૂનાં વદનકમળ, તેની તીક્ષ્ણ અસિધારાથી ભેદ્દેલાં ગોનાં કુમ્મસ્થળામાંથી નીકળતા મુકતાફળ રૂપે ચળકતા શ્વેત યશના વસ્ત્રથી ઢાંકી દ્વીધાં હતાં તે શ્રી જયભટ હતા. (પં. ૭) તેના પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહામુનિનાં રચેલાં શાસ્ત્રમાં, સ્વધર્મ અનુષ્ઠાન અને વિવેકમાં નિપુણુ, વર્ણ અને આશ્રમની સુવ્યવસ્થાથી કલિયુગની આણુ નષ્ટ કરનાર, અન્ય ભૂપેાના દાનના મદ પ્રયિએની અભિલાષ પૂર્ણ કરવામાં વપરાતી લક્ષ્મી મેળવી નષ્ટ કરનાર, પેાતાનું પ્રખળ હાથી પર આરેાડુન કરવાનું બળ મદથી કેષિત બની અંકુશ સામે થતા અને નિરંકુશ ગોને અંકુશમાં રાખી ખ્યાતિવાન કરનાર, વિપમાં આવેલા અનેક ભૂપતિએને સહાય આપ્યાથી સમસ્ત પ્રજામાં વિખ્યાત ઉદારતા વાળે, પૂર્વ અને પશ્ચિમના અનેક ( હજારા ) નૃપાને મહાસંગ્રામમાં આવૃત કરતી ગજસેના ભેદી પેાતાનું ખાહુબળ દેખાડી, બાહુ સહાયના બીજા પ્રખ્યાત નામવાળે, મહેશ્વરના પરમભક્ત શ્રી દર્ હતા. ( પૃ. ૧૩) તેનેા પુત્ર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, અનેક સંગ્રામમાં ઘન ગજસેના ભેદવામાં ચતુર; કલેશી જતેાને દાવાનલ સમાન; દીન, અનાથ અને આજારી જતાના મિત્ર; કમલમંડલ જેવા સ્વજન અને મિત્રાને ઇન્દુ સમાન, ભાગીરથી નદીના પ્રવાહની માફ્ક શત્રુઓને ક્ષેાભ પમાડે તેવી શક્તિવાળા,—શાન્તનું જેવા કલકલારવ કરતી મહાન સેનાના નાથ, આદિવરાહ માફક પેાતાના ભુજ મળના પરાક્રમથી ભૂમિને (ક્રુષ્ટ નૃપતિએની સત્તામાંથી ) ઉદ્ધારનાર, અને મહેશ્વરના પરમ ભક્ત શ્રી જયભટ કુશળ હાલતમાં સમસ્ત નૃપ, સામન્ત, લેગિક વિષયપતિ, રાષ્ટ્રમઢુત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને અનુશાસન કરે છેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૫. ૧૮) તમને જાહેર થાએ કે આ લેાક તેમ જ પરલેાકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે, કૈારિલ્લા પથકમાં આવેલા શમીપત્રક ગામની ઈશાન સીમામાં ૬૪ ( ચાસઢ ) નિવર્તનનું ક્ષેત્ર—જેની સીમા— પૂર્વે ગાલિકા ગામની સીમા; દક્ષિણે યમલખલ્લર સરાવર અને મહત્તર મહેશ્વરનું ક્ષેત્ર અને દેવક હજામ( વાપિત )નું વાપક ક્ષેત્ર પશ્ચિમે શમીપદ્રક ગામથી ધાહદ્ધ ગામ જતે માર્ગ અને ઉત્તરે ખરૂટખલ્લર તડાગ અને કારિલ્લા ગામમાં રહેતા બ્રાહ્મણ મર્મનું ખાદાયનું ક્ષેત્ર. આ ચાર સીમાવાળું આ ક્ષેત્ર ઉદ્ભઙ્ગ સહિત, અને ઉપરિકર સહિત અને ભૂતવાતપ્રત્યાય સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, શઅપરાધના ગુન્હાના દંડની સત્તા સહિત, વેઠના હુક સહિત, ઘરા, સ્થાવર અને જંગમ,શેરીએ પ્રવેશ અને નિર્ગમનનાં સ્થાન, સાગર (?) ચતુષ્પદ્મ પ્રચાર, વાપી, કૂપ, તડાગ અને ગામની હદ પર વસનાર સહિત, રાજપુરૂષાના હસ્તપ્રક્ષેપણમુક્ત, પૂર્વે કરેલાં દેવ અને બ્રાહ્માને કરેલાં દાન કરી, ભૂમિચ્છિદ્રન્યાયથી, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતાના રૂ. ૧૨ www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy