SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ १३० गुजरातना ऐतिहासिक लेख ( àા. ૧૮ ) ખરેખર, અશ્વરાજના આ પુત્રે એક જ ઉદરમાં રહેવાના લાલે પૃથ્વી પર ક્રી આવેલા દશરથ રાજાના ચાર પુત્રા જ હતા. ( àા. ૧૯) અનુજ ( ન્હાના ભાઇ ) તેજપાલના સાથવાળા વસ્તુપાલ, મધુ માટે પછી આવતા માધવ માસની માર્કે સર્વેનું હૃદય રંજતા નથી ? (àા. ૨૦ ) એલા કÇિ માર્ગમાં જવું નહી એ સ્મૃતિ વચન ધ્યાનમાં રાખી તે બે ભાઇ મેહ રૂપી ચારના ભયવાળા સદ્ગુણાના પંથ ઉપર સાથે ચાલે છે. (àા. ૨૧) યુગ જેટલા લાંખા બાહુવાળા આ બે ભાઇઓની જોડીના ઉદય થાથ્યા; જે જોડીએ ચેાથા યુગમાં પણ કુતયુગનું આગમન ફરી કરાવ્યું હતું. ( àા. ૨૨ ) જેએની કીર્તિથી ભૂમિમંડલ મુક્તામય ભાસે છે તે બન્ને ભાઈઓનાં શરીર ચિરકાળ સુધી રાગથી મુક્ત રહેા. (àા. ૨૩ ) એક જ દેહમાંથી બન્ને માડુ નીકળે છે છતાં તેમાં એક વામ ( ડાબેખરામ) છે. પણ આ એ માધવેામાંથી (એક જ પિતાથી થએલા હેાવા છતાં) એક પણ તેવા ( વામ ) નથી, કારણકે અન્ને પ્રામાણિક ( દક્ષિણ ) હતા. ( àા. ૨૪) આ મને ભ્રાતાઓએ ધર્મસ્થાનાથી પૃથ્વી અંકિતકરીને કલિયુગના કંઠપર અલથી પાતાના પગ મૂકયા હતા. ( ક્ષેા. ૨૫ ) ચૌલુક્ય વીરાના વંશમાં તે શાખાના અલંકાર તેજસ્વી પુરુષ અર્થારાજ જન્મ્યા હતા. ( àા. ૨૬ ) તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી; જેના પ્રતાપ ઢાંકયા ન હતા, જેણે શત્રુસંહાર કર્યાં હતા અને જેનેા ગંગાના જલથી ધાવાએલા શંખ જેવા શુભ્ર યશ ખારા સમુદ્રથી પડેલે પાર પહોંચ્યા. (àા. ર૭) દશરથ અને કકુસ્થની પ્રતિમા જેવા આ નૃપને વીરધવલ નામને શત્રુના દળને હણનારા પુત્ર થયા. જ્યારે આ પુરુષના યશ પૂર માક પ્રસરતા હતા ત્યારે, કામથી પીડિત મનવાળી અસાધ્વી સ્રીએની અભિસરણુકામાં કુશળતા નિષ્ફળ નીવડતી. (લે. ૨૮) આ પ્રજ્ઞ વીરધવલ ચૌલુકય જ્યારે નિન્દાખાર લેાકેા તે બે સચિવાની નિન્દા કરવા તે બિલકુલ સાંભળતે નહીં. અને આ સચિવેાએ તેમના સ્વામિનું રાજ્ય અતિ ઉન્નતિથી Àાભાળ્યું અને ગજસેનાએ અને ઘેાડાનાં યુથે તેના મહેલનાં આંગણાંમાં ખૂંધાવ્યાં. ( àા. ૧૯) આખન્ને સચિવેા સહિત તે રાજા ઘુંટણ સુધી લાંખા બે હાથથી શ્રીને સુખથી એટલે સહેલાઇથી ભેટે છે, એમ મને લાગે છે. ( àા. ૩૦ ) શિવના શ્વસુર હિમાલયને પુત્ર ગિરિસમૂહની ટાચ અ་દિગિર છે, જે મન્દાકિનીને વાદળથી ઘેરાએલા શિખરપર ધારણ કરી રહેલા હાઈ ઘટ જટાવાળા મસ્તકપર ગંગા ધારણ કરનાર શિવનું (જેના તે સાળા છે) અનુકરણ કરે છે. ( àા. ૩૧) આ પર્વત પર કાઈ સ્થળે રમ્ય લલનાઓને વિહાર કરતી જોઈને મેાક્ષની આંકાક્ષાવાળાને પણ રતિ ઉત્પન્ન થાય છે, જ્યારે કેાઈ સ્થાનમાં મુનિએને માટે ખાંધેલાં તીર્થ સ્થાનાની હાર જોઈ અસ્થિર મનના માણુસને પણ જગતથી વિરક્તિ પ્રાપ્ત થાય છે. (àા. ૩૨ ) શ્રેયને લઈને શ્રેષ્ઠ વિસિષ્ઠના હામના અગ્નિ કુંડમાંથી મૃતંડના પુત્ર-સૂર્ય–થી અધિક જયાતિવાળા પુરુષ પ્રકટ થયા. તે શત્રુસંહારમાં આનન્દ પામશે એમ માનીને તે શ્રુતિજ્ઞાનીએ તેને પરમાર એવું નામ આપ્યું; તે સમયથી તેના કુળનું નામ તે પડયું. (àા. ૩૩) તે નૃપાના વંશમાં પ્રથમ શ્રીમરાજ થયા. તે પૃથ્વીપર ઇન્દ્ર સરખા હતા કારણ કે ઇન્દ્રે પર્વતાને, પાંખાનું છેદન કરી, વેદનાના અનુભવ આપ્યા હતા તેમ આ નૃપે રાજાએને, બન્ને પક્ષ ખેદી, વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy