SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો-પ્રકરણ ૪. કરાવેલ પણ નહીં, તે અન્ન માટે સાધુઓને નિમંત્રણ કર્યું, તે વખતે પણું પ્રભુએ કહ્યું. “હે રાજન ! મુનિઓને રાજ્યપિંડ કર્ભે નહીં આથી ભરતરાજ ઘણાજ દુભાવા લાગ્યા. ઘોડા વખત પછી ભગવાને ભવ્ય જનને બોધ કરવા માટે, અષ્ટાપદ પર્વત ઉપરથી અન્યત્ર વિહાર કર્યું અને ભરત રાજા અયોધ્યા પધાર્યો અને સર્વ શ્રાવકોને પિતાને ત્યાં જમવા સારૂ પધારવા આજ્ઞા કરી. કાળની ગહન ગતિ, કાળની ગતિ વિચિત્ર છે, એ કણ ના પાડી શકશે ? કાળને મને હિમા અલૈકિક નથી, એમ કોણ કહી શકો ? કરોડ વર્ષપર જે દુનિયા હતી, તેમાં કેટલા બધા ફેરફાર થઈ ગયા છે, તે જાણવાને કહ૫ના સિવાય આપણી પાસે બીજું કાંઈ પણ સાધન નથી ! ૫ણું તે દુનિયા જુદી હતી, ને તેમાં અસંખ્યાતા ફેરફાર થયા છે, એ તે કોઈ પણું ના પાડી શકશે નહીં ! થોડાં વર્ષમાં જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ જાય છે, તે હજારો ને કરોડ વર્ષમાં ઘણાં ફેરફાર થવા જોઈએ, એમાં શું નવાઈ છે ! થોડાં વર્ષમાં મોટાં મોટાં માને અને ઈમારતમાં પણ મોટા ફેરફાર થતા જોવામાં આવે છે અને તેમાં આ પહેલું કે તે પહેલું, એ સમજવું કેટલાંક વર્ષો પછી મુશ્કેલ થઈ પડે છે, તે હજારે બે લાખ વપર બનેલાં કાર્યોમાં ફેરફારો થાય, એમાં શું આ થઈ ? જંગલ હોય ત્યાં શહેર વસતાં ને શહેરો વેરાન થઈ જંગલમાં ફેરવાઈ જતાં આપણે જોયાં છે. ડેરા ગાઝીખાનને ઇતિહાસ એ સંબંધમાં બરાબર સાબીતી આપે છે. વલભીપુરને પોમ પીઆઇનાં ખંડેરે એ સંબંધમાં જીવતી જાગતી માહિતી આપે છે ! જમીનમાંથી નીકળતી મૂર્તિઓ પણ દેખાડે છે કે, અગાડી મોટાં મંદીરોમાં શોભતી ભાએ હમણું ભૂમિની અંદર પડી રહી છે અને જે અગાડી પૂજાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy