________________
૩૮
ખંડ પહેલો-પ્રકરણ
એ સાત કુલકરની રાજધાની
--
~
--
ઉપર જણાવેલા સાત કુલકરને અવશ્ય કરીને છેલ્લા કુલકર-નાભિ રાજા-ઈસ્યાકુભૂમિ અથવા વિનિતાનગરી કે જેની પૂર્વ દિશામાં કૈલાશ પર્વત, દક્ષિણમાં મહાશલ્ય પર્વત, પશ્ચિમમાં સુરશિલ્ય તથા ઉત્તરમાં ઉદયાચલ પર્વત હતા તે નગરીમાં રહેતા હતા. કરડે વર્ષોની આ ભૂમિ નક્કી કરવાનું કામ સહેલું નથી. ત્યાર પછી દુનિયામાં એટલા બધા ફેરફાર થઈ ગયા છે, કે તે વિષે કોઈ પણ નિર્ણય ઉપર આવી શકાય એમ નથી. પહેલા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જળ ત્યાં સ્થળ, તથા સ્થળ ત્યાં જળ, વિશ્વના વિકટ કાયદાઓને સબબ થઈ જવાથી, ફકત થોડા હજાર વર્ષ ઉપર બનેલી બાબત તથા જગ્યાનો નિર્ણય થઈ શકતા નથી તો કરોડ વર્ષની બાબતમાં નકકી શું કહી શકાય? તે છતાં તેમ બન્યું જ નથી, એમ નહીં કહી શકાશે. પ્રખ્યાત બેબીલોનના ખંડીયેરે, લેપલેન્ડમાં થયેલી શોધખે મીશર દેશમાંથી મળી આવેલી તખીઓ વગેરે જેમ આપણને ખાત્રી આપે છે, કે આગળ તે દેશ હમણાના કરતાં તદનજ જુદા હતા, તેમજ જૈન શા આ બાબતમાં ખાત્રી આપે છે કે આગળની વિનિતાનગરી હમણાના કાશમીર દેશની ઊપર આવેલી હતી.
થાના નિર્ણય
. એમ નવમાં નકકી
ખંડીયેર
રૂષભદેવને જન્મ.
સાતમા નાભિ કુલકરની મરૂદેવી નામની સ્ત્રીથી ચિત્ર વદ આઠમને દિવસે, શ્રી રૂષભદેવજી જૈનોના પ્રથમ તીર્થંકર જેમને કેટલાક આદિનાથ કહે છે, બીજાએ આદિશ્વર, (સિાથી પહેલે ઈશ્વર) કહે છે, વળી કેટલાક રાખવદેવ કહે છે ને થોડાક વૃષભદેવ પણ કહે છે, તેમનો જન્મ થયો. આ વખતે નાભિ કુલકરના રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com