________________
નિવેદન.
( હર્ષ-પુષ્યામૃત જૈન ગ્રન્થમાલાને આ
- પ્રથમ ગ્રન્થમણકે જાહેર જનતા સમક્ષ રજૂ કરતાં અત્યન્ત આનન્દ થાય છે. અને પ્રસ્તુત ગ્રન્થ ગ્રન્થમાલાના હેતુની સંપૂર્ણતયા પૂર્તિ કરી રહ્યો છે, કારણકેવર્તમાન વિષમતાભર્યો જડવાદી વાતાવરણમાં જ્યારે પારમેશ્વરી પ્રત્રજ્યાને કેટલાકેએ ચર્ચા, ટીકા અને નિન્દાને વિષય બનાવી દીધો છે, ત્યારે આવા ગ્રન્થનું પ્રકાશન જિજ્ઞાસુ આત્માઓને તેમજ ભાગવતી દીક્ષાના સ્વરૂપથી તદ્દન અનભિજ્ઞ જનેને ખૂબ જ લાભપ્રદ થવા સંભવ છે. સમાજમાં
જ્યારે કઈ પણ વિષય અતિ ચર્ચાત્મક, ટીકાત્મક કિવા નિન્દાત્મક બની જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આમ વર્ગનું ધ્યાન એ વિષય તરફ દેરાય છે અને આમ જનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com