________________
હાલ આ ઉદેશથી ગ્રંથે પ્રગટ થશે અને ભવિષ્યમાં યોગ્ય સાધનસામગ્રી પ્રાપ્ત થતાં, પ્રાચીન સ્તુતિ , ન્યાય તથા વ્યાકરણના ગ્રન્થ, મૂળ ચરિત્ર ઈત્યાદિ પ્રસિદ્ધ કરવા તરફ આ ગ્રન્થમાળા પ્રગતિ કરશે. જીવન ત –
આ ગ્રન્થમાળાને સારી અને સંગીન સ્થિતિમાં મૂકવાને માટે તેનાં જીવન તન્હ રૂપ આર્થિક સહાયકને માટે નીચેની પદ્ધતિ સ્વીકારી છે. એટલે જેઓ આ ગ્રન્થમાળાના જીવનમાં જોડાવા ઈચ્છતા હોય, તેઓને નીચેનામાંથી કઈ પણ વિભાગના તત્ત્વરૂપ બનવાની જરૂર છે. પિટને...............રૂ. ૫૦૧-૦-૦, પેટ્રન થનારને આ ગ્રન્થમાળાપ્રથમ વર્ગના
ને ગ્રન્થ ભેટ મળશે અને _લાઈફ મેમ્બર, ૧૦૧-૦-૦ પ્રથમ તથા બીજા વર્ગના બીજ 5, , , ૫-૦-૦' મેમ્બરને અડધી કિસ્મતે તે
ગ્રન્થ વેચાતા મળશે. આ ગ્રન્થમાળા તરફથી બીજા ગ્રન્થ મણકા તરીકે રા, શ્રીકાન્તની કસાયેલી કલમથી નવો ઓપ પામેલું શ્રી પૃથ્વીચન્દ્ર-ગુણસાગર ચરિત્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થશે. લગ્નની ચોરીમાં આ બે પુણ્ય પુરૂષ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, એ રોમાંચક વાત તમે ખૂબ રસપૂર્વક વાંચશે. લગભગ ૪૦૦ પાનાં અને પાકું બાઈન્ડીંગ છતાં અગાઉથી ગ્રાહક થવા માટે મૂલ્ય રૂ. ૧–૧૨–૦ અને પાછળથી રૂા. ૨-૪-૦. પેપ્ટ ચાર્જ અલગ સમજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com