________________
અધ્યાય ૭ મા–સામંજસ્ય અને સુખ
૪૩
આપુ છુ કે તને ક્રાઇ તારા વિષયસુખમાં કાઇપણ પ્રકારતી હરકત કરશે નહિ—તારી નિંદા પણુ કાઇ કરશે નહિ. છતાં કાઇ હરકત કરે કે નિંદા કરે તે તેને માટે હું તને નુકશાની આપવાને પણ તૈયાર રહીશ. મારા દસ્તાવેજના બદલામાં તારે પશુ એક દસ્તાવેજ લખી આપવા પડશે, અને તેમાં તારે લખી આપવું પડશે કે “ હવે આમાં કાંઇ સુખ લાગતું નથી, એમ કહીને હું વિષયભાગાથી કાઇ કાળે કંટાળાશ નહિ, વિષયેાની પરિતૃપ્તિ અર્થે" મારે ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તેટલાં કટા ખમવાં પડે, ગમે તેટલા રોગના હુમલાઓ સહન કરવા પડે, ગમે તેટલા આયુબ્યના ક્ષય થાય તાપણુ વિષયભાગાની નિંદા કરી નાસી છુટવાનેા સકલ્પ કદી પણુ નહિ કરેં. ” રૃમ. આવે દસ્તાવેજ લખી આપવાને તું તૈયાર છે?
શિષ્યઃ—મહેરબાની આપની. હું એવા દસ્તાવેજથી બધાવા રાજી નથી; પરંતુ હું જાણુવા માગું છું કે જેમણે સમસ્ત જીવન ઈંદ્રિયાના વિષયે। ભાગવવા પાછળજ ગુમાવી દીધું હેાય એવા મનુષ્યા પશુ શુ આ સંસારમાં નહિ હાય ? હું ધારૂં છું કે એવા મનુષ્યા એક-એજ નહિ પણ સંખ્યાબંધ મળી આવે તેમ છે.
ગુરુઃ—એવા મનુષ્યા સંસારમાં અનેક હશે એમ આપણને માની લેવામાં કશા ખાધ નથી; પરંતુ આપણે કેવળ બહારનીજ ખબર રાખીએ છીએ, તેમના અંતઃકરણમાં શું શું થતું હશે તેની કલ્પના કાણુ કરી શકે તેમ છે ? વસ્તુતઃ જો વિષયી મનુષ્યેાના અંતઃકરણમાં ઉતરીને આપણે તપાસ કરીએ તે આપણને સ્પષ્ટ રીતે જણાઈ આવે કે તે ઈન્દ્રિયપરાયણ લેાકેા ઈન્ડિયાની પિસિ અથે જે પ્રબળ પ્રયત્ન કરે છે તેના પ્રમાણમાં તેએ પદ્ધિતિનું સુખ લેશ પણ અનુભવી શકતા નથી. વિષયાથી જો તૃપ્ત થાય તેા પછી તેના ઉપર કંટાળા પશુ આવવાજ જોઇએ; પરંતુ વાસનાઓની સંપૂર્ણ પરિતૃપ્તિ થતીજ નથી, અને તેટલાજ માટે તે ઇંદ્રિયપરાયણુ મનુષ્યાનેા પ્રશ્નળ યત્ન સતત ચાલુ રહ્યા કરે છે. તેમના અંતઃકરણમાં રાતદિવસ અશાંતિને અગ્નિ સળગતા હાય છે. એ અગ્નિ શાંત કરવાને તે બિચારા શાંતિરૂપી પાણીની તપાસમાં ચેતરફ રખડી મરીને અશાંતિમાં ઉલટા વધારેાજ કરે છે; પણ એ વાત તેમને કાણુ સમજાવે ?
શિષ્ય:——છતાં એવા પણ અનેક મનુષ્યા જોવામાં આવે છે કે જે રાતદિવસ ઇંદ્રિયના વિષયામાં રચ્યા પચ્યા રહે છે તાપણુ તેનાથી તેમને કંટાળા આવતા નથી. દાખલાતરાઅે દારૂડીયાનેજ હ્યા. કેટલાક દારૂડીયા માણસામે એવા જોયા છે કે તેઓ આખા દિવસ દારૂ પીત્રા કરે છે, અને ઘેનમાં તે ધેનમાંજ વખત પસાર કરે છે, છતાં તેઓ દારૂથી કંટાળી ગયા હાય એમ કાઈ દિવસ જણાતું નથી. પરિતૃપ્તિના અંતે કંટાળા આવતા હાયા પછી શામાટે તેઓ દારૂ તજી દેતા નથી—શામાટે દારૂ તજી દેવાની ઇચ્છા પણ કરતા નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com