________________
૩૬
ધર્મતત્તવ
માર્ગને મૂળ ઉદેશ છે દમન અને ઉચ્છેદ એ બે શબ્દો છેક જૂદા અને ભિન્ન અર્થ વાચક છે એ ભૂલી જઈશ નહિ. મહાદેવે મન્મથને હદથી વધારે બળવાન બનતે જોઈ તેને એક સમયે ઉછેદ કર્યો હતો, પરંતુ લોકહિતાર્થે તેને પાછે જીવિત કર્યા સિવાય ચાલ્યું નહિ. ૪ શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કૃષ્ણ જે ઉપદેશ કર્યો છે તેમાં પણ ઈદ્રિચોનો ઉચ્છેદ કરવાનું કયાંય કહ્યું નથી. દમન કરવાનું જ સર્વત્ર પ્રબોધ્યું છે, કેમકે ઈદ્રિયો સંયમમાં રહે તેજ હૃદયની શાંતિનો ભંગ થાય નહિ. દષ્ટાંતરૂપે --
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियश्चरन् ।
आत्मवश्यौर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ શિષ્ય:--અસ્તુ. હવે એ બાબત ઉપર વધુ વખત ગાળવાની જરૂર નથી. હવે અધુના ભક્તિ-પ્રીતિ-દયા વિગેરે એ વૃત્તિઓના અનુશીલન સંબંધે કાંઈક ઉપદેશ કરે.
ગુર–એ વિષય ઉપર મને પણ એટલા બધા વિસ્તારથી બેસવાની ઈચ્છા નહતી, પરંતુ કેટલાએક કારણોને લઈને તેમ કરવું પડ્યું. પ્રથમ તો એ કે તારી શંકાનું નિવારણ કર્યા સિવાય આગળ વધવાનું મને યોગ્ય લાગ્યું નહિ, અને બીજું એ કે આજકાલ યુગધર્મની જે ઘેલછા લેકેમાં દાખલ થવા પામી છે તેના પ્રત્યે મને એ તિરસ્કાર છે કે પ્રસંગે પાત તે વિષે બોલ્યા વિના રહી શક્યો નહિ.
ગની પાછળ ઘેલા જેવા બનેલા કેટલાક માણસોને અભિપ્રાય એ છે કે કેટલીક વૃત્તિઓને સમૂળે ઉચ્છેદ કરી નાખો અને કેટલીક વૃત્તિઓને હદ ઉપરાંત બળવાન બનાવી દેવી. આ અભિપ્રાય બહુ ભૂલભરેલું છે. વૃત્તિઓનું યથાયોગ્ય અનુશીલન ચાય નહિ અને એક વૃત્તિની ખીલવણી બીજી વૃત્તિને વિનરૂપ થાય છે ત્યાં સામંજસ્યનો નિયમ સચવાત નથી અને એથી કરીને ધર્મ પણ અધર્મરૂપે પરિણમે છે. નિકૃષ્ટવૃત્તિ કે ઉત્કૃષ્ટવૃત્તિ એ ઉભયમાંથી એકકે વૃત્તિને છેક ઉછેદ કરી નાખવો એ અધર્મ છે. વિષયી અથવા સ્વાથી માણસને આપણે અધમી કહીએ છીએ, તે શા માટે? કારણ કે તેની તે નિકૃષ્ટવૃત્તિઓ ઉચ્ચવૃત્તિઓને આડે આવી એ ઉચ્ચત્તિઓને જોઈએ તેટલા પ્રમાણમાં ખીલવા દેતી નથી. તેજ પ્રમાણે એક પેગી પણ અધાર્મિક છે, કારણ કે તે બીજી બધી વૃત્તિઓ તરફ ઉપેક્ષા કરી પોતાની ઉચ્ચત્તિઓને જ હદથી અધિક પ્રમાણમાં કેળવ્યા કરે છે. અલબત્ત એટલું છે કે ઉચ્ચ અને નીચે
મન્મથનો ઉચ્છેદ થવા છતાં મનુષ્યો તિથી પોતાનો બચાવ કરી શક્યા નહિ; એટલા માટે મન્મથને પુનઃ સજીવન કરે પશે. આ ઉપરથી એટલું સમજવાનું છે કે વૃત્તિઓને ઉચ્છેદ જેમ ઇષ્ટ નથી તેજ પ્રમાણે વૃત્તિઓને બહેકાવી દેવી એ પણ ઇચ્છવાયોગ્ય નથી. પિરાણિક કથાઓનો આ રીતે અર્થ કરવામાં આવે તેજ તે સાર્થક થાય. એક-બે પૈરાણિક વાર્તાઓનો અર્થ આજ નિબંધમાં હવે પછી અમે આપીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com