________________
ધમતવ
ગુસ-નહિ. તેમ છતાં પણ વાંસ તૃણમાંજ લેખાય છે. તું એક ઘાસનું તૃણ પાસે રાખીને વાંસની સાથે મુકાબલે કરી છે. બંને મુકાબલામાં સરખાં જણાય છે તેથીજ વનસ્પતિશાસ્ત્રના પંડિતોએ વાંસને તૃણની શ્રેણીમાં મૂક્યો છે. આ ઉપરથી તું જોઈ શકશે કે તૃણ જેવા પદાર્થોમાં પણ એક માત્ર સ્તુતિના ગુણને લઈને કેટલો બધો ભેદ પડી જાય છે? ઘાસ જેમ તૃણ છે. તેમ વાંસ પણ તૃણ છે. છતાં
સ્મૃતિગુણને લીધે વાંસને વૃક્ષ માનવાનું મન થઈ જાય છે. તે પણ એક વાત લક્ષમાં રાખજે કે વાંસની સંપૂર્ણ ખીલવણી, અથવા જેને સર્વાગીન પરિણતિ કહે છે તે વાંસમાં થઈ નથી. જે અવસ્થામાં મનુષ્યની સર્વાગીન પરિણતિ (વિકાસ) સંપૂર્ણ થાય તે અવસ્થાને હું “મનુષ્યત્વ કહું છું. શિષ્ય–ઉકત પરિણુતિને ધર્મની સાથે શું સંબંધ છે ?
ગુર:–વનસ્પતિની પરિણતિ કિંવા ઉત્કર્ષ કેટલેક અંશે પ્રયત્નસાધ્ય હોય છે. સાધારણ રીતે જેને આપણે ખેતી કહીએ છીએ તે ખેતી કઈ જગ્યાએ મનુષ્યદ્વારા થાય છે તો કોઈ જગ્યાએ કુદરતધારા (કુદરતી રીતે) થાય છે. એક સામાન્ય ઉદાહરણ આપું. તને કેાઈ દેવતા આવીને એમ કહે કે:-“વૃક્ષ અને ઘાસને એક સાથે હું પૃથ્વીમાં રાખવા માગતો નથી. માટે તું કહે તે સર્વ વૃક્ષોને નાશ કર્યું અને કહે તો સર્વ ઘાસનો નાશ કરું. માટે બોલ તને શું પસંદ છે ?” તે તું તેને શું જવાબ દે? વૃક્ષનું રક્ષણ કરવાની પ્રાર્થના કરે કે ઘાસનું રક્ષણ કરવાની પ્રાર્થના કરે ?
શિષ્ય:–વૃક્ષને જ રાખવાનું કહ્યું તેમાં પૂછવા જેવું જ શું ? ઘાસ ન રહે તે કદાચ ગાય-ભેંસ વિગેરેને કષ્ટ ખમવું પડે, પરંતુ વૃક્ષ ન હોય તે પછી જાત જાતના ફળો–મેવાઓ વિગેર કયાંથી મળે? ફળ-ફૂલના અભાવે મનુષ્યોને કેટલું બધું કષ્ટ થાય છે
ગુર:–મૂર્ખ ! તૃણજાતિ જગતમાં ન રહે તે અન્નના અભાવે સૈને મરવું પડે તેની કાંઈ ખબર પડે છે? ધાન પણ તૃણુજાતીયજ છે. ખેતી કરવાથી તૃણમાં પણ કેવી જીવનદાયિની શકિત આવવા પામે છે, તેને કાંઈ ખ્યાલ કરી શકે છે ? અત્યારે જે વસ્તુઓ તને મિષ્ટ અને મધુર લાગે છે તે વસ્તુઓ એક કાળે ઘણીજ કડવી અને સ્વાદરહિત હતી, એમ વનસ્પતિશાસ્ત્રના વિદ્વાને સિદ્ધ કરે છે. કૃષિ વિગેરેથી એજ વસ્તુઓ આજે મિષ્ટ અને ખાવાચોગ્ય બનવા પામી છે. ખેતીથી જેમ વનસ્પતિમાં ઉત્કૃષ્ટતા આવે છે તેવીજ રીતે મનુષ્યો પિતાની વૃત્તિઓના અનુશીલનથી ઉન્નત અથવા યથાર્થ મનુષ્ય બની શકે છે. અંગ્રેજીમાં તે ખેતીને અને અનુશીલનને ઉભયને “કચર” એવું જ નામ આપવામાં આવે છે. એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે બધી સસ્ટન્સ ઑફ રીલીજીયન ઈઝ કલ્ચર’ અર્થાત માનવવૃત્તિને ઉત્કર્ષ એનું જ નામ ધમે. શિષ્ય–તે ગમે તેમ છે પણ મળ વાતને તો કશે જ ખુલાસો થયો નહિ. મનુષ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com