________________
ધર્મતત્વ
શિષ્ય –અભ્યાસને લીધે. ગુર–અભ્યાસને બદલે અનુશીલન કહે. શિષ્ય-અભ્યાસ અને અનુશીલન એ બને શું પૃથક્ પૃય છે?
ગુર–એટલાજ માટે તો કહું છું કે તેને અભ્યાસ કહેવાને બદલે અનુશીલન કહે. શિષ્ય – એ બેમાં શો ભેદ છે, તે જરા બતાવશો ?
ગુસ–અત્યારે તે સમજાવવા જેટલે વખત નથી. અનુશીલનને આ વિષય જયંસુધી તારી બુદ્ધિમાં નહિ ઉતરે ત્યાંસુધી તેમાંની એકકે વાત તારાથી યથાયોગ્ય સમજી શકાશે નહિ. છતાં હાલ તુર્તમાં આટલું કહું છું કે જે રોજ કવીનાઈને ખાય તેને કવીનાઈન કેવું લાગે?
શિષ્ય –હું ધારું છું કે કરીનાઇન મિષ્ટ તે નજ લાગે. હા, વખત જતાં તેની કડવાશ અસહ્ય ન લાગે.
ગુસર–એ પ્રકારે સહન થવું એ અભ્યાસનું ફળ છે. ટુંકમાં અનુશીલન એ શક્તિને અનુકૂળ હોય છે, અને અભ્યાસ એ શક્તિને પ્રતિકૂળ હોય છે. અનુશીલનથી શક્તિઓને વિક થાય છે, ત્યારે અભ્યાસથી શક્તિઓનો વિકાર થાય છે. અનુશીલનથી પરિણામે સુખ પ્રાપ્ત થાય છે, અને અભ્યાસથી પરિણામે સહિષ્ણુતા (સહનશીલતા) પ્રાપ્ત થાય છે, હવે પેલી મીઠાઇવાળી વાત યાદ કર. ત્યાં તારે પ્રયત્ન તારી રસ ચાખવાની સ્વાભાવિક વૃત્તિને અનુકૂળ હોય છે, તેથી તારી તે શક્તિ અનુશીવિત થાય છે અને એને લીધે તેમાં તને સુખ લાગે એ પણ તદ્દન બનવા યોગ્ય છે. આ રીતે અનુશીલનના બળથી વખત જતાં તને “રાષ્ટ’ વિગેરે પાશ્ચાત્ય ખાણામાં પણ આનંદ મળી શકે. બીજાં ખાણું-પીણુના સંબંધમાં પણ તેમજ સમજી લેવું
એ ઉપરાંત બીજી ઇંદ્રિયોના અનુશીલનથી પણ સુખની ઉત્પત્તિ થઈ શકે છે. સંગીતના શ્રવણથી જે આનંદ થાય છે તે પણ આપણું શરીરની અમુક ઇન્દ્રિયના એટલે કે અમુક શારીરિક શક્તિના અનુશીલનથી જ થાય છે. યુરોપીય પંડિતાએ તેને મસ્કયુલર સેન્સ’ એવું નામ આપ્યું છે એજ પ્રમાણે બીજી અનેક શારીરિક શક્તિઓ માણસમાં રહેલી છે, અને તે સર્વના અનુશીલનથી સુખનો અનુભવ થાય છે.
શરીરસંબંધી વાતને બાજુએ મૂકીને હવે આપણે આગળ વિચાર કરીએ. આપણુમાં કેટલીક માનસિક શક્તિઓ પણ રહેલી છે, અને તે શક્તિઓના અનુશીલનથી જે ફળ પ્રાપ્ત થાય તેને પણ સુખની પંક્તિમાંજ મૂકી શકાય. શક્તિઓના અનુશીલનમાં ખરું જોતાં જે સુખ છે. તેવું સુખ બીજા કશામાં નથી. અનુશીલનનો અભાવ એજ દુઃખ દુઃખ એ કાંઈ જૂહો પદાર્થ નથી. સમજ્યો કે? શિષ્ય --ના. પ્રથમ તો શક્તિ એટલે શું એજ હું જોઈએ તેવું સમજતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com