SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત બંકિમચંદ્રને વિદ્યાભ્યાસને બહુ શેખ હતો. કલકત્તાના સુવિખ્યાત જ્યોતિષી સ્વર્ગસ્થ ક્ષેત્રમેહન બાબુ પાસેથી તેઓ થોડા જ દિવસમાં જ્યોતિષશાસ્ત્ર શીખ્યા હતા. અરબીનું નજુમ શીખવા માટે મોલવી પાસેથી અરબી પણ શીખ્યા હતા. સંગીતમાં પણ તેઓ પાછળ ન હતા. કાંટાલપાડામાં એક દેશપ્રસિદ્ધ ગવૈયો રહેતો હતો. તેનું નામ યદુભટ તાનરાજ હતું. બંકિમ બાબુ તેને માસિક ૭૦) રૂપીઆ આપતા. હતા. ગાયનવિદ્યા તેઓ એજ ભટ્ટ પાસેથી શીખ્યા હતા. બકિમનું ગળું સારું નહોતું પણ તેમને તાલ વગેરેનું જ્ઞાન બહુ સારું હતું. હારમોનિયમ વગાડવામાં તેઓ સિદ્ધહસ્ત હતા. એક દિવસ તેઓ નાટકશાળામાં મૃણાલિની (નાટકના આકારમાં ફેરવાયેલી બંકિમબાબુની નવલકથા)નો અભિનય જેવા ગયા હતા. તેમાં ગવાતા એક ગાયનને. તાસૂર તેમને પસંદ નહિ પડવાથી તેઓ અત્યંત અસંતોષ પામીને નાટકશાળામાંથી ચાલ્યા ગયા હતા; અને પછી બીજે જ દિવસે પોતાના ભાણેજ શ્રીદિવ્યેન્દુ સુંદરને આ ગાયનનો તાલ–સૂર વગેરે શીખવ્યું હતું. - બંકિમબાબુ ચિકિત્સાશાસ્ત્રમાં પણ અસાધારણ યોગ્યતાવાળા હતા. અલીપુરમાં નોકરી કરતાં થોડા દિવસ સુધી મેડિકલ કોલેજમાં એનેટોમી ( શરીરશાસ્ત્ર) પણ શીખ્યા હતા. બંકિમ જેવા તીક્ષણ બુદ્ધિવાળા માણસ માટે થોડા વખતમાં શરીરશાસ્ત્ર શીખી લેવું એ કંઈ અઘરું ન હતું. તેઓ શરીરશાસ્ત્રમાં નિષ્ણાત થયા પછી ઘેર બેઠા બેઠા, બીજાની સહાયતા સિવાય જાતેજ ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા અને પૂરેપૂરું શીખ્યા ૫છીજ અટક્યા. તેમને જ્યારે કેઈ નો વિષય શીખવાની ઇચ્છા થતી હતી ત્યારે તેઓ તે વિષય સંપૂર્ણ શીખી લેવા માટે અધીરા થઈ જતા હતા, અને જ્યાં સુધી તે વિષય સારી રીતે શીખી લેતા નહિ ત્યાં સુધી તેમને શાંતિ વળતી નહિ. ચિકિત્સાશાસ્ત્ર શીખ્યા પછી તેમણે વૈદ્યકશાસ્ત્રના ઢગબંધ ગ્રંથ મંગાવ્યા હતા. - બંકિમચંદ્ર કેવા સહૃદય અને ઉદાર હતા, તે બતાવવા માટે અત્રે એક ઘટનાને ઉલ્લેખ કરવામાં આવે છે. કાંટાલપાડા પાસે ગારીફા નામનું એક ગામ હતું. ત્યાંના એક ગૃહસ્થને છોકરો ભણવા માટે સમુદ્રપાર પરદેશ ગયે હતો. પાછો આવ્યા પછી તેને સમાજે નાતબહાર મૂકવાનો ઠરાવ કર્યો છે એમ તેમણે જાણ્યું. તે વખતે બાબુ શ્યામચરણ અને બાબુ સંછવચંદ્ર સમાજના નેતા હતા. તે ભલા છોકરાએ બાબુ શ્યામચરણનો આશરો લીધે. શ્યામચરણે આશ્રય નહિ દેતાં કહ્યું કે-“મારી પોતાની ઈચ્છા પ્રમાણે કરીને સમાજ ઉપર હું અત્યાચાર કરી શકતો નથી. તમે તમારી નાતવાળા પાસે જાઓ, અને જે તેઓ તમને નાતમાં લે તો મને કંઈ અડચણ નથી.” અંતે તે ભલા માણસે સમુદ્રયાત્રાનું પ્રાયશ્ચિત્ત પણ કર્યું, પણ નાત કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy