________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
આગળ જતાં અલીપુરમાં બદલી થયા પછી એક વખત બંકિમચંદ્રની અદાલતમાં એક મુકદમે ચાલતું હતું. મુકદ્દમો નજી–આબકારી કેસ-હતો. આબકારીખાતાએ મળેલ હતા. બંકિમચંદે આરોપીને ગુનેગાર ઠરાવીને છેડો દંડ કર્યો. છેડા વખત પછી જીલ્લા મેજીસ્ટેટ બેકર સાહેબે “ દંડ ઓછો થયે છે.” એવો અભિપ્રાય જજમેંટ ઉપર લખ્યો. બંકિમે કહ્યું “ બરાબર દંડ કરવામાં આવ્યો છે. એમ મને ખાત્રી છે. આસામી ગરીબ છે. એટલા રૂપીઆ આપતાં પણ તે હેરાન હેરાન થઇ જશે.”
સાહેબે કહ્યું : “ પરંતુ ગુહા પ્રમાણે જ દંડ તે થવું જોઈએ.” બંકિમે કહ્યું “જનાબ, જ્યારે હું ન્યાયાધીશ થયો હતો ત્યારે આપ પારણામાં હતા.
સાહેબ વચ્ચેથી જ અટકાવીને હસી પડ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજે કઈ અંગ્રેજ હેત તે બહુજ નારાજ થાત, પણ ઉદારહદય બેકર સાહેબે જરા પણ ખોટું ન લગાડયું.
એકવાર બીજી એક ઘટના થઈ હતી. ચોવીસપરગણાના રેવન્યુ ખાતાનું વાર્ષિકસ્ટેટમેંટ નંબર ૧૦ આપવાનો વખત થઈ ગયો હતો. તે વખતે મહેસુલ ખાતું બંકિમચંદ્રના હાથમાં હતું. સ્ટેટમેંટ વખતસર તૈયાર ન થઈ શકયું. અંતે તાકીદને હુકમ આવ્યો. બંકિમચંદ્ર તેની કંઈ પરવા ન કરી. તે માત્ર એટલું જ જોતા હતા કે કામ કરનારાઓ તૈયાર કરવાની બનતી મહેનત કરે છે કે નહિ. તે લોકોને તનતોડ મહેનત કરતા જોઇને બંકિમચંદ્ર નિશ્ચિત રહ્યા. ક્રમશઃ બોર્ડ તરફથી, સરકાર તરફથી, એમ ચારે બાજુથી તાકીદ ઉપર તાકીદ થવા લાગી. બંકિમચંદે જરા પણ નહિ ગભરાતાં કંઇ પણ જવાબ ન આપો. અંતે મેજીસ્ટ્રેટ સાહેબનું આસન ડેલું. કહેવાય છે કે સરકાર તરફથી તેમના ઉપર તાકીદની ચિટ્ઠી આવી હતી. છેવટે બેકર સાહેબ બંકિમચંદ્રની કચેરીમાં ગયા અને પૂછયું “સ્ટેટમેંટ તૈયાર થઈ ગયું ?”
બંકિમ:- ના જી. સાહેબ - કેમ નથી થયું ?
બંકિમ –અધિકારીઓ ખૂબ મહેનત કરીને કામ કરે છે. હું તેમને મારી નજ નાખી શકું.
સાહેબ ઉડીને કામકરનારાઓની પાસે ગયા, અને આમ તેમ ફરતાં ફરતાં કામ જેવા લાગ્યા. જેને સંતુષ્ટ થયા અને કોઈને કંઈ પણ ન કહેતાં સરકારમાં લખી દીધું. બેકર સાહેબની દયા અને ન્યાયપરાયણતા બતાવવા માટે જ અહીં આ ઘટનાને ઉલેખ કર્યો છે. સાથે સાથે એ પણ ઉદ્દેશ છે કે વાચક સમજી શકે કે બંકિમ બા ડરપેક દેશી અમલદાર ન હતા, કે જેથી ઉપરિ અમલદારોથી દબાઈ જઈ પિતાના ભાઈઓ ઉપર જુલમ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com