SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ ગુર–એજ કે સર્વ ભૂતપ્રત્યે સમદષ્ટિ રાખવી એ જેમ આપણું કર્તવ્ય કર્મ છે, તેજ પ્રકારે આત્મરક્ષા, સ્વજનરક્ષા તથા દેશરક્ષા પણ આપણું કર્તવ્ય કર્મો છે. એ ઉભયની અંદર જ્યારે પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય ત્યારે કયી તરફનું ત્રાજવું ભારે છે, તે બારીકીથી-નિપક્ષપાતપણે જોઈ જવું. આત્મરક્ષા તથા સ્વજનરક્ષાની જરૂર એટલા માટે છે કે તેનાથી દેશરક્ષામાં તથા જગતરક્ષામાં બહુ મોટી સહાય મળે છે, માટે બની શકે ત્યાં સુધી દેશરક્ષા કિવા જગતરક્ષા તરફ જ વિશેષ લક્ષ આપવું. વસ્તુતઃ જાગતિક પ્રીતિની સાથે આત્મપ્રીતિ, રવજનીતિ તથા દેશપ્રીતિને વિરોધ ઉત્પન થાય એ સંભવજ લાગતો નથી. દષ્ટાંત તરીકે ધારો કે કોઈ એક મનુષ્ય આપણું ઉપર હલ્લો કરે, તો તેનાથી આપણે આપણું આત્મરક્ષણ કરવું. પરંતુ તેની સામે નિર્દયતા કિવા દેવ દાખવવાની જરૂર જ શું છે? ક્ષુધાતુર ચોરના. સંબંધમાં જ્યારે આપણે પ્રસંગ નીકળે ત્યારે આ વાત હું તને સમજાવી ચૂક્યા છું. તે વખતે મેં તને એવા આશયનું કહ્યું પણ હતું કે જાગતિક પ્રીતિ અથવા સર્વત્ર સમાનભાવને અર્થ એ નથી કે આપણે મૂંગે મોઢે મારજ ખાધા કરમારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે સર્વ પ્રાણીમાત્ર આપણું પિતાના આત્મા સમાનજ છે, તે પછી આપણે કોઈનું કદાપિ અનિષ્ટ ન કરવું. કોઈ મનુષ્યનું તે, શું પણ કઈ સમાજનું પણ કદાપિ અનિષ્ટ કરવા તૈયાર થવું નહિ. આપણું સમાજનું જેવી રીતે યથાશક્તિ ઈષ્ટસાધન કરવું, તેવી જ રીતે બની શકે તે પરસમાજનું પણ ઈષ્ટ કરવા ચૂવું નહિ. શક્તિ પ્રમાણે ઇષ્ટ કરવું તેને અર્થ માત્ર એટલેજ કરવાને છે કે કોઈ સમાજનું અનિષ્ટ કરી અન્ય સમાજનું ઇષ્ટ કરવું એ બીલકુલ ઉચિત નથી. પરસમાજનું અનિષ્ટ કરી આપણું સમાજનું ઇષ્ટ ન સાધવું તેજ રીતે આપણા સમાજનું અનિષ્ટ કરી પરસમાજનું દષ્ટ સાધવું એ પણ યોગ્ય નથી. આમ થાય તેજ યથાર્થ સમાનભાવ, જાગતિકપ્રીતિ તથા સ્વદેશપ્રીતિની યથાયોગ્યતા સચવાય. કેટલાક દિવસો ઉપર તે એક પ્રશ્ન પૂ હતો, તેને ઉત્તર આપવાનો હવે યોગ્ય પ્રસંગ આવી લાગે છે. હું ધારું છું કે તારા મનમાં યુરોપીય “પંટ્રીયેટીઝમ” (સ્વદેશવાસય) ના સંસ્કારો બહુ દઢ થઈ ગયેલા હોવા જોઈએ, અને તેને જ લીધે તેં એ પ્રશ્ન મૂક્યો હશે. મેં તને આજે જે સ્વદેશપ્રીતિસંબધે ઉપદેશ કર્યો છે, તેને યુરોપની સ્વદેશવાત્સલ્યતા સાથે લેશ પણ સંબંધ નથી. યુરોપીય પી. ટીઝમ (સ્વદેશવાત્સલ્ય) ને એક પ્રકારના મહાધર વૈશાચિક પાપરૂપેજ હું તો ઓળખું છું. પાશ્ચાત્ય સ્વદેશવત્સલતાને અર્થ માત્ર એટલેજ છે કે પરસમાજની પાસેથી જે કાંઈ હેય તે છીનવી લો અને પોતાના સમાજમાં લાવે. તે પેઢીટીઝમ ધર્મ કહે છે કે અન્ય સમસ્ત જાતિઓનું સત્યાનાશ કાઢીને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy