________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૨૯મી નવેમ્બરે બહેરામપુરમાં બદલી થઈ. પહેલાં તો તેઓ કોઇની સાથે બહુ હળતા ભળતા ન હતા અને લેક પણ તેમની પાસે ઓછા આવતા જતા હતા; પણ અંતે તેમ નહોતું રહ્યું. બંકિમચંદ્ર સ્વભાવથી જ જરા આત્માભિમાની હતા તેથી તેમજ તેમનું તેજ જેને પણ લેક તેમનાથી દૂર રહેતા હતા. તેઓ પણ લોકોની પ્રીતિના ભૂખ્યા ન હતા; પણ બેએક વર્ષ ત્યાં રહ્યા બાદ તેઓ એવા તે લોકપ્રિય થયા, કે સામાન્ય રીતે એવી લેકપ્રીતિ કાઈકનાજ નસીબમાં હોય છે. બંકિમચંદ્ર જ્યારે ૧૮૭૪ માં રજા લઈને બહેરામપુરથી વિદાય થયા ત્યારે તેમને ત્યાંજ રહેવા માટે લોકોએ બહુજ આગ્રહ કર્યો હતો. લગભગ દોઢસો વિનતિપત્ર તેમની પાસે આવ્યાં હતાં; પણ તેમનું સ્વાચ્ય ખરાબ થઈ ગયું હતું તેથી તેઓ ત્યાં ન રહી શક્યા. તેમની વિદાય પ્રસંગે દાન કરવા માટે ત્યાંના રહેવાસી બોએ લગભગ ૫૦૦૦ રૂપીઆ
એકઠા કર્યા હતા અને સાત દિવસ સુધી કંગાળ અને દુઃખીઓને અન્નવસ્ત્ર વહેચવામાં આવ્યાં હતાં.
માત્ર દેશબંધુઓએ જ તેમને રોકવાની ઈચછા નહોતી બતાવી; પણ મેજીસ્ટ્રેટ, કમિશ્નર વગેરે હાકેમોએ પણ તેમને બહેરામપુરમાં રાખવાને ભારે પ્રયત્ન કર્યો હતો. સન ૧૮૭૩ માં બકિમે રજા માટે અરજી કરી. મેજીસ્ટ્રેટે કહ્યું “ હું તમને કોઈ પણ રીતે છોડી શકું તેમ નથી.” ત્યારે બકિમે કમિશ્નર સાહેબને અરજી કરી અને કહ્યું -“ કહેબ! મારી તબીયત ખરાબ થઇ ગઇ છે. મને ત્રણ માસની રજા આપ.” કમિશ્નરે હસીને કહ્યું-“તમને હું તેમજ મેજીસ્ટ્રેટ છેડી શકીએ તેમ નથી. હા, તમારી ઈચ્છા હોય તો હું એટલી શરતે રજ અયું કે રજા પૂરી થયા પછી અહીં જ આવો. ” બંકિમે કહ્યું-“મારી ઈચ્છા હવે અહીં આવવાની નથી. આપ જાણે છે કે અહીંની આબોહવા ખરાબ છે.” કમિશ્નરે કહ્યું-“તે એક કામ કરે. તમે ખાસ રજા લે.” બંકિમે કહ્યું “ખાસ રજા લેવાથી શું ? બે ચાર દિવસની રજા તે રસ્તામાં જ પૂરી થશે.” કમિશ્નરે કહ્યું-“તમે ચાહો તેટલીવાર તેવી રજા માગે; હું કંઈપ અડચણ સિવાય મંજુર કરી દઈશ. - બંકિમબાબુ સાહેબની કૃપા જોઇને મુગ્ધ થઈ ગયા અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી એક દિવસની પણ રજા લીધા સિવાય કામ કરતા રહ્યા, પણ જ્યારે અને શક્ત થઈ ગયા ત્યારે ડૉકટરના પ્રમાણપત્ર સાથે તેમને રજા માગવી પડી. આ રજા ન આપવી એ કમિશ્નરના અધિકાર બહારની વાત હતી; તો પણ તેમણે અરજી દબાવી રાખી. અંતે બંકિમે ડે િયર સાહેબને પત્ર લખ્યો. ડંપિયર સાહેબ તે વખતે લેફટનંટ ગવર્નરના સેક્રેટરી હતા. તેઓ બકિમના ગુણ ઉપર મોહિત હોઇને તેમના પરમ મિત્ર હતા. ડેપિયર સાહેબે બંકિમની રજા તરતજ મંજુર કરાવી આપી
બહેરામપુરમાં બંકિમ બાબુ બહુ સુખી હતા. ધન, જન, માન, પ્રતિષ્ઠા સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com