________________
૧૩૪
ધર્મતત્ત્વ
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ।। અર્થાત–પત્ર, પુષ્પ, ફળ, જળ ઈત્યાદિ વસ્તુઓ ભક્તિ વડે જે પુરુષ મને આપે છે, તે શુદ્ધ વૃત્તિવાળા પુષે ભક્તિભાવવડે આપેલું તે સર્વે હું ગ્રહણ કરું છું.
શિષ્ય:-ત્યારે શું ગીતામાં પણ સાકાર મૂર્તિની ઉપાસના કરવાનું વિધાન છે? | ગુસ-ફળ-પુષ્પાદિ અર્પણ કરવા મેં.ગ્ય રધૂળ પદાર્થો, કેવળ પ્રતિમાને જ અર્પણ થઈ શકે એ કાંઈ નિયમ નથી. ઈશ્વર સર્વત્ર છે એટલે જ્યાં આપણે અર્પણ કરીશું ત્યાં તે પોતે તે સ્વીકારી લેશે. શિષ્ય:-- પ્રતિમા આદિની પૂજવિષે વિશુદ્ધ હિંદુધર્મમાં નિષેધ હશે કે વિધાન હશે?
ગુસ–અધિકારીદે તે નિષિદ્ધ તેમજ વિહિત પણ છે. તે સંબંધી ભગવાન કપિલલનું કથન હું ભાગવતપુરાણમાંથી અહીં ઉધૂત કરું છું. ભાગવતપુરાણમાં કપિલ ને ઈશ્વરનો અવતાર માનવામાં આવ્યા છે. તેઓ પિતાની માતા-દેવહૂતિને નિર્ગુણ ભક્તિયોગનાં સાધને કહી બતાવે છે. તેમાં તેઓ એક રીતે સર્વભૂતામાત્રપ્રત્યે પ્રીતિભાવ રાખવાનું તથા દયા-મૈત્રી અને યમ-નિયમ પાળવાનું કહે છે, તે બીજી રીતે પ્રતિમાની પૂજા-દર્શન કરવાનું પણ કહે છે. પરંતુ વિશેષમાં તેઓ કહે છે કે –
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽीविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् ।
हित्वा म् भजते मौढ्याद् भस्मन्येव जुहोति सः ॥ ३ स्कं. १७ અર્થાત–હું સર્વભૂતમાત્રમાં તેમના આત્મસ્વરૂપે રહેલે છું. મારી અવજ્ઞા કરીન–અર્થાત્ ભૂતમાત્રની અવજ્ઞા કરીને જેઓ પ્રતિમાપૂજા કરે છે, તેઓ વ્યર્થ વિ. બના પામે છે. સર્વ ભૂતેના આત્મસ્વરૂપ જે હું ઇશ્વર તેને પરિત્યાગ કરીને જે મનુવ્યો પ્રતિમાને ભજે છે, તેઓ ભસ્મમાં વ્યર્થ ઘી હોમે છે. વળી,
अज़ादावर्चयेत्ताबदीश्वरम् मां स्वकर्मकृत् । __ यावन्न वेद स्वहृदि सर्वभूतेष्ववस्थितम् ॥
જે વ્યક્તિ પોતાનાં કર્મોમાં જ તલ્લીન રહે અને સર્વ ભૂતમાત્રમાં ઈશ્વર રહેલો છે એવી શ્રદ્ધા પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે પ્રતિમાની પૂજા કરવી જોઈએ.” - હવે તારી ખાત્રી થઈ હશે કે શાસ્ત્રમાં પ્રતિમા પૂજાની જેમ વિધિ છે તેમ નિષેધ પણ છે. જ્યાં સુધી મનુષ્યો પ્રત્યે પ્રેમભાવ ન ઉદ્દભવે અને ઇશ્વરસંબંધી જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી પ્રતિમાની પૂજા એ એક પ્રકારના સાધનરૂપ છે. જેના હૃદયમાં સર્વ જનપ્રત્યે પ્રીતિભાવ રહ્યા કરતો હોય, અને જેને ઇશ્વરજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને માટે પ્રતિમાપૂજા આવશ્યક નથી. જ્યાં સુધી ઉપર કહ્યું તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com