________________
અધ્યાય ૨૦ મા-ભક્તિનું સાધન
૧૨૯
છે, અથવા તા કરે છે, અને જે સર્વ ભૂતામાં પેાતાના આત્મા જેવી અભેદ બુદ્ધિ રાખે છે, તે પુરુષ ગમે તે દેશમાં જન્મ્યા હાય કે ગમે તે ધર્મ પાળતા ઢાય તા પશુ તે હિંદુ—આ તથા વૈષ્ણુવ છે, એમ કહેવામાં કશી અત્યુક્તિ નથી. જે સહાકલેશ તથા દ્વેષ–પ્રપંચમાં અડ્ડાનિશ તલ્લીન રહેતા હાય, પેાતાના માનવબંધુઓતુજ ગળુ કાપવા તૈયાર હાય અને જનસમાજનું અનિષ્ટ કરવામાં જેમતે લેશ પશુ સકાચ રહેતા ન હેાય, તે ગળામાં સુતરના તાંતણા તથા કંઠમાં રુદ્રાક્ષમાળા રાખવા છતાં પણ હિંદુના નામને યોગ્ય નથી. એકબીજાના દ્વેષ કરનાર તથા માનવત્ર પ્રત્યે ક્રૂરતાથી વનાર મનુષ્યો પ્લેથી પણ અધમ છે, અને તેથી તેઓના સ્પર્શી કરનાર પવિત્ર મનુષ્ય પણ દૂષિત થાય છે.
अध्याय २० मो - भक्तिनुं साधन
શિષ્ય:—હવે મારા પ્રશ્ન માત્ર એટલેજ છે કે આપે ભકિતની જે વ્યાખ્યા કહી તે કિતને મારે સાધનરૂપે માનવી કે સાધ્યરૂપે માનવી ?
ગુરુઃ—ભકિતને સાધનરૂપે તેમજ સાધ્યરૂપે પણ માની શકાય. ભક્તિથી મુતિની પ્રાપ્તિ થાય છે, એટલા માટે ત્યાં ભકિત સાધનરૂપે છે. વળી, કિંત મુકિતપ્રદ હોવા છતાં તે પે!તે મુકિતની કે ખીજી કાઈ પ્રકારની કામના રાખતી નથી, એટલા માટે તે સાધ્ય પણ છે.
શિષ્ય:—ભકિતને જે સાધ્યરૂપે લેખીએ તેા પછી તેનાં સાધના પણ હોવાં જોઇએ. આપે કહી તે અનુશીલનપદ્ધતિને શું તેના સાધનરૂપે માની શકાય ? ઉષાસનાને ભકિતના સાધનરૂપે ધણા કાળથી સ્વીકારવામાં આવી છે, પરંતુ આપે હમણાં જે વ્યાખ્યા કરી બતાવી તેને લક્ષમાં લેતાં ભકિતમાં કર્યાંય ઉપાસનાને સ્થાન હોય તેમ હુ' જોઈ શકયા નથી.
ગુરુભક્તિમાં પણ ઉપાસનાને મેગ્ય સ્થાન છેજ; પરન્તુ ઉપાસના શબ્દ વિવિધ અર્થમાં વપરાતા હોવાથી, અલબત ગેરસમજ ઉત્પન્ન થવાના ભય રહે છે. સકળ ચિત્તવૃતિઓને તેમજ શારીરિક વૃત્તિઓને શ્વરાભિમુખી કરવી તે સિવાય બીજી એકકે ઉત્તમ ઉપામના નથી. તું જ્યાંસુધી તારાં નિત્ય-નૈમિત્તિક કાર્યો કરતાં અંતઃકરણ પૂર્વક પૃશ્વરનું સ્મરણ ન કરે ત્યાંસુધી તારાથી એ ઉપાસના થઈ શકે નહિ.
શિષ્યઃ——તથાપિ હિં દુશાસ્ત્રમાં ભકિતની અનુશીલનપદ્ધતિવિષે જે કાંઇ નિયમે પ્રાધવામાં આવ્યા હાય તેવિષે હું આપની પાસેથી યકિંચિત સાંભળવા ઇચ્છું છું.
પ. ટ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com