________________
अध्याय १७ मो-भक्ति-ध्यान-विज्ञानादि
ગુ–ભગવદ્દગીતાના પ્રથમ પાંચ અધ્યાયવિષે હું વિવેચન કરી ચૂક્યો છું પ્રથમ અધ્યાયમાં સૈન્યદર્શન બીજા અધ્યાયમાં જ્ઞાનયોગને સ્થલ આભાસ, અથવા તે સાંખ્ય યોગ. ત્રીજા અધ્યાયમાં કર્મયોગ, ચોથા અધ્યાયમાં જ્ઞાન-કર્મસંન્યાસયોગ, અને પાંચમા અધ્યાયમાં સંન્યાસયોગ વિગેરે વિષયો આવી જાય છે. છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે. ધ્યાન એ જ્ઞાનવાદીઓનું અનુષ્ઠાન છે, તેથી તેનું જૂદું વિવેચન કરવાની જરૂર રહેતી નથી. આ અધ્યાયમાં વેગ કોને કહેવાય તેનાં લક્ષણો આપવામાં આવ્યાં છે. જે અવસ્થામાં ગાનુષ્ઠાનદ્વારા ચિત્તને નિરોધ થાય, જે અવસ્થામાં વિશુદ્ધ અંતઃકરણદ્વારા આત્મદર્શન થવાથી, આત્મામાં જ પરિતૃપ્તિ અનુભવાય અને જે અવસ્થામાં કેવળ બુદ્ધિવડેજ પ્રાપ્ત થઈ શકે એવું અતીન્દ્રિય–આત્યંતિક સુખ પ્રાપ્ત થાય, એટલું જ નહિ પણ જે અવસ્થામાં એક સમય સ્થિતિ થયા પછી પાછું ફરવાપણું રહેતું નથી અને જે અવસ્થામાં પ્રાપ્ત થતા સુખની તુલના કોઈ પણ વસ્તુની સાથે થઈ શકતી નથી, તેમજ ગમે તેવું ભારે દુ:ખ પણ જે અવસ્થામાંથી મનુષ્યને વિચલિત કરી શકતું નથી, તે અવસ્થાને “યોગ” એવું નામ આપવામાં આવ્યું છે. કેવળ નેતી-દેતી, મુદ્રા, આસન, કે પ્રાણાયામ જેવાં રથુળ સાધનેથીજ યોગદશા પ્રાપ્ત થતી નથી, પરંતુ
योगिनामपि सर्वेषां मद्गतेनांतरात्मना।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥ અર્થાત જે યોગી મારામાંજ મન રાખીને શ્રદ્ધાપૂર્વક અને ભજે છે તેને મેં યોગયુક્ત વ્યક્તિઓમાં સર્વોત્તમ યોગી માનેલો છે. આ ભગવદુક્તિ સાંભળ્યા પછી હવે તને ખાત્રી થઈ હશે કે ગીતક્ત જ્ઞાન, કર્મ, ધ્યાન કે સંન્યાસ વિગેરે ધર્મોમાં એકકે ધર્મ ભક્તિવિના સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકે નહિ. ભક્તિ એ જ સર્વ રહને અને સર્વ તને એકમાત્ર નિષ્કર્ષ છે.
સાતમે અધ્યાય વિજ્ઞાનયોગસંબંધી છે. તેમાં ઈશ્વર પોતે પિતાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરી બતાવે છે. જો કે તે સ્થળે ભગવાન પોતે પોતાના નિર્ગુણ અને સગુણ ભાવનું વર્ણન કરે છે, તથાપિ તેની સાથે એટલું પણ ખુલ્લી રીતે કહી દે છે કે ભક્તિ સિવાય મને પ્રાપ્ત કરવાને એકકે ઉપાય નથી. મતલબ કે ભક્તિ બ્રહ્મજ્ઞાનમાં પણ સહાયક છે.
આઠમા અધ્યાયમાં તારકબ્રહ્મગ આવે છે. એ પણ એક પ્રકારને સંપૂર્ણ ભક્તિયોગ છે. આ અધ્યાયમાં મુખ્યત્વે ઈશ્વરપ્રાપ્તિના ચૂલ ઉપાયોનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com