________________
ખાણુ કિમચંદ્રનુ` સક્ષિપ્ત નૃત્તાન્ત
કૃષ્ણુનગરના હિલ્સ સાહેબને ત્રણુ લાખ વીધાં જમીન હતી !
કિમચંદ્ર સાથેને ગળીવાળા સાહેબેના ઝગડા સમજાવવા માટે અહીં કેટલીક અપ્રાસંગિક વાતાના ઉલ્લેખ જરૂર કરવા પડશે. ગળીવાળા સાહેબાનું જોર કેટલું વધ્યું હતું તે જાણ્યા સિત્રાય વાચકવર્ગ આ વાત નહિ જાણી શકે કે તે સાહેબાને ખાવવામાં-તેમના અત્યાચાર મટાડવામાં—અકિમખામુને કેટલું હેરાન થવું પડયું હતું.
આ બધા જમીનદાર ગળીવાળા સાહેબેએ સન ૧૮૬૧ ની આખરમાં સરકાર પાસે મુકર્રમા રજી કર્યા કે જૈસાર અને નદિયા જીલ્લાની પ્રજાએ મહેસુલ આપવાનું બંધ કરી દીધું છે. સાથે સરકારને તે મહેસુલ વસુલ કરવાના ઉપાય કરવા માટે પણ અરજ કરવામાં આવી. હિંદી સરકારનું આસન ડાલવા લાગ્યું. તેણે ન્યાયાધીશ મેરિસ અને મદ્રેસરને ખાસ કમિશ્નરતરીકે નીમીને તપાસ કરવા મેકલ્યા.
<<
કમિશ્નર સાહેબેએ તપાસ કરીને તારણ કાઢયું કે ગળાવાળા સાહેબે સીધા, સાદા ભલા માણુસા છે. તેમણે કદી પણ પ્રજાના શરીરે હાથ અડકાડયા નથી. ટાઇપણ પ્રકારના અત્યાચાર તેમણે કર્યાં નથી. બધા દોષ બંગાળી પ્રજાને!જ છે. તે કોઇ પણ રીતે મહેસુલ આપતા નથી.” આ બધા નિસ્પૃહી (!) સાહેબેના ટાળામાં મારેલ નામના એક એડખાં ગળીવાળા અને જમીતદાર હતા. તની નિંદા કરવી એ ઠીક નથી. કારણ કે તે સમયનાં અંગ્રેજ વર્તમાનપત્રોમાં તેની પ્રશંસાના પૂલ બાંધવામાં આવ્યા હતા. અને તે વખતના ગવર્ સર. જે. પી. ગ્રાન્ટ સાહેલ્મે પેાતાની ઈન્ડીગ મિનીટ (ગળીની નોંધ)માં મેરેલ સાહેબને આદર્શ ગળીવાળા તરીકે દર્શાવ્યા હતા (!)
પશુ એજ આદર્શ જમીનદારે સન ૧૮૬૧ ના નવેમ્બર મહીનામાં એક દા જમાવ્યા હતા. તેની વિગત આગળ લખીશું. પહેલાં તે મારેલ સાહેબના બળ અને ઐશ્વર્યા પરિચય આપવા જરૂર છે. મારેલ સાહેબે એક નગર વસાવીને તેનુ નામ મારેલગજ પાડયું હતું. સાહેબ આ નગરના રાજા હતા. તેમની પાસે જે લધારી સેના હતી, તેની સંખ્યા લગભગ પાંચસેા સેાની હશે. એમાંના કાઇ કાઇ પાસે બંદુક, કુહાડી વગેરે પણુ હતુ.
આ લશ્કરના કસાન ડેનિસ હેલી સાહેબ હતા. હેલી સાહેબ પહેલાં યામનરી કેવેલરીમાં હતા; પરંતુ ત્યાં માણુસેાની હત્યા કરવાની અને ઘર સળગાવવાની આવી સગવડ ન હતી ! વળી પગાર પણ સાધારણુ હતા. એટલે હૈલી સાહેબે તે નાકરી હેડીને મારેલ સાહેબના લડધારીઓની સરદારી સ્વીકારી હતી.
મારેલ સાહેબની સપત્તિનેા ઘણા ભાગ સેાર જીલ્લામાંજ હતા. મારેલગજ કિમચંદ્રના ઇલાકામાં હતુ. કિમે ખુલનામાં આવીને જોયુ કૅ–મારેલ સાહેબનુ જોર બહુ જામ્યું છે. તે આદર્શો પ્લેન્ટર (!) તરીકે દેશનું રાજ્ય ચલાવી રહ્યા છે. કિમચ ંદ્રે ખુલનામાં ચાર્જ લીધા પછી એક વર્ષે મારેલ સાહેબે દગા કર્યાં. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com