________________
અધ્યાય ૧૦ મો-મનુષ્યભક્તિ
s
કરી દઈને જે એક જ માર્ગ ખુલ્લે રાખે તે ક માર્ગ ? માત્ર ભિક્ષા. ભિક્ષાના જેવો દુ:ખદાયક અને દરિક માર્ગ ભાગ્યે જ બીજો કોઈ હશે. આવા નિસ્વાર્થ અને ઉદારચિત્ત મનુષ્યોને ભારતમાતા સિવાય બીજી કયી માતા જન્મ આપી શકે ? તેઓએ પોતાની બહાદુરી બતાવવા અથવા તે પુષ્યને સંચય કરવાના હેતુથી એ ભિક્ષાવૃત્તિનો માર્ગ સ્વીકાર્યો નહોતો, પરંતુ તેઓ સમજતા હતા કે જે ઐશ્વર્યાસંપત્તિમાં મન જશે તે પછી જ્ઞાનપ્રાપ્તિમાં વિધન નડયા વિના રહેશે નહિ તેમજ સમાજને પણ જેવું જોઈએ તેવું શિક્ષણ મળી શકશે નહિ. એકાગ્ર મનથી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવું અને એકનિષ્ઠાપૂર્વક લેકશિક્ષણ આપવું એજ ઉદેશથી તેઓએ સર્વસ્વ ત્યાગ કરી ભિક્ષાવૃત્તિનો એક માત્ર માર્ગ પોતાને માટે ખુલ્લો રાખ્યો હતો. યથાર્થ નિષ્કામ ધમ જેમના હાડોહાડમાં વ્યાપ્ત થઈ ગયો હોય તેઓજ આમ પરહિતવ્રતની પ્રતિજ્ઞા લઈ સર્વત્યાગી બનવાની હિંમત કરી શકે. તેઓએ પિતાના પ્રત્યે અચળ ભક્તિ રાખવાનું લેકને ઉપદેશ્ય હતું તે પણ કાંઈ તેમના પિતાના સ્વાર્થને માટે નહોતું. તેઓ સમજતા હતા કે જે સામાજીક શિક્ષકો પ્રત્યે લોકોને ભક્તિભાવ ન હોય તે સમાજની કોઈ કાળે ઉન્નતિ થાય નહિ, અને એટલાજ માટે તેમણે બ્રાહ્મણભકિતનો ભારતવર્ષમાં પ્રચાર કર્યો હતો. આવી રીતે તેમણે જે એક સમાજ તથા સભ્યતાની સૃષ્ટિ કરી હતી તે આજે પણ જગતમાં અતુલનીય લેખાય છે. હજીસુધી યૂરેપ પણ એ આદર્શનું અનુકરણ કરી શક્યો નથી; કારણ કે હજીસુધી પણ ચૂપમાં યુદ્ધને એક સામાજીક આવશ્યકતા સમજવામાં આવે છે. આ દેશના બ્રાહ્મણે એજ યુદ્ધનું ભયંકર દુઃખ, યુદ્ધની ભયંકર ખાનાખરાબી તથા યુદ્ધને સામાજીક ઉત્પાત પિતાના ચારિત્રબળથી દૂર કર્યો હતો. બ્રાહ્મણની નીતિનું અવલંબન લેવાથી સમાજને યુદ્ધ કરવાની કશી જરૂર રહેતી નથી. પૂર્વના બ્રાહ્મણોના કીર્તિસ્તંભોમાંથી હજી એક કાંકરી પણ ખરવા પામી નથી, એજ તેમની અક્ષય કીર્તિનું જ્વલંત ઉદાહરણ છે. જગતમાં જે જે ઉન્નત જાતિઓ અત્યારસુધીમાં થઈ ગઈ છે તેમાં બ્રાહ્મશેના જેવી પ્રતિભાશાળી, શક્તિશાળી, જ્ઞાની તથા ધામિક જાતિ બીજી કઈ થઈ નથી. પ્રાચીન એથેન્સમાં અથવા રેમમાં, મધ્યકાલીન ઇટાલીમાં અથવા વર્તમાન કાલીન જર્મનીમાં કે ઈગ્લાંડમાં બ્રાહ્મણ જેવી એક પણ ઉન્નત, પ્રતિભાશાળી તથા ક્ષમતાશાળી જાતિ થઈ નથી. રામના પુરોહિત, કે બાદ્ધના ભિક્ષુઓ કે અન્ય કોઈ સંપ્રદાયના ધર્મોપદેશમાં પણ બ્રાહ્મણોના જેવા જ્ઞાની કે ધાર્મિક હજી સુધી થયા નથી.
શિષ્યઃ–પરતુ અત્યારે તે બ્રાહ્મણે ખુલ્લી રીતે વેપાર–ધંધે કરવા લાગી ગયા છે, એટલું જ નહિ પણ કાલી માતાના નામથી કસાઇને પણ બંધ કરવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com