________________
અધ્યાય ૧૦ મો-મનુષ્યભક્તિ
૭૫
-
-
-
-
-
નને પાત્ર છે. તેમ ન હોય ત્યારે તે તેઓને પણ એક સાધારણ મનુષ્યજ લેખવા જોઈએ.
રાજપુર પ્રત્યે ગ્ય ભક્તિ દર્શાવવી એ ઠીક છે, પરંતુ કોઈ પણ બાબતમાં હદ ઓળંગી જવી એ ઠીક નથી; કારણ કે ભક્તિની માત્રા વધી જાય તે બીજી વૃત્તિઓને હાનિ સહન કરવી પડે એ વાત હું તને પ્રથમ કહી ચૂક્યો છું. રાજાએ સમાજના પ્રતિનિધિ સમાન છે અને રાજપુરુષે સમાજના નોકરે છે એ વાત કેઈએ વિસરી જવી જોઈતી નથી. આપણા દેશી લેકે એ વાતને ભૂલી જઈ, રાજપુરુષોની અપરિમિત ખુશામત કરે છે, તે અનુચિત છે. - (૩) રાજાના કરતાં પણ સમાજના શિક્ષકે અધિક ભક્તિને પાત્ર છે. જેઓ વિદ્વાન અને બુદ્ધિમાન હવાની સાથે સમાજને પણ પરિશ્રમપૂર્વક શિક્ષણ આપવાના નિરંતર પ્રયત્નો કરે છે તેજ સમાજના યથાર્થ નેતા છે-તેજ સમાજના યથાર્થ રાજાઓ છે. મતલબ કે ધર્મવેત્તાઓ, વિજ્ઞાનવેત્તાઓ, નીતિવેત્તાઓ, દાર્શનિકે, પુરાણુવેત્તાઓ, સાહિત્યકારે, તથા કવિઓપ્રત્યે યથોચિત ભક્તિ દર્શાવવી એ પણ પ્રત્યેકનું કર્તવ્ય છે. અત્યારસુધીમાં પૃથ્વીની જે કાંઈ ઉન્નતિ થઈ છે તે આજ મહાપુરુષોને આભારી છે. તેઓ જે માર્ગે પૃથ્વીને લઈ જવા માગે તેજ ભાગે પૃથ્વી ગતિ કરવા લાગે છે. તેઓ રાજાઓના પણ ગુરુ છે; કારણ કે રાજાઓ
જ્યારે તેમની પાસેથી યોગ્ય શિક્ષણ લે છે, ત્યારે જ તેઓ સારી રીતે રાજ્ય ચલાવવાને યોગ્ય બને છે. ભારતવર્ષમાં ભારતીય ઋષિ-મહર્ષિઓની જે કીર્તિ હજી સુધી સચવાઈ રહી છે, અને વ્યાસ, વાલ્મીકિ, વસિષ, વિશ્વામિત્ર, મનુ, યાજ્ઞવલ્કય, કપિલ, તથા ગૌતમ આદિ ભારતવર્ષના પૂજ્યપાદ મહર્ષિઓના જે કીર્તિસ્થંભ અમર રહી ગયા છે, તે તેમના સામાજીક ગુરુપદને જ આભારી છે. યુરોપમાં પણ ગેલિલીઓ, ન્યૂટન, કેસ્ટ, ડેન્ટ તથા શેકસપીઅર વિગેરેએ એ મહત્ત્વનાં આસને. એક કાળે શોભાવ્યાં હતાં.
શિષ્ય–જેનો જેટલા પ્રમાણમાં આપણા પર ઉપકાર થાય તેના પ્રત્યે તેટલો જ ભક્તિભાવ ધરાવવો, એ આપને કહેવાનો આશય છે શું ?
ગુર–નહિ. ઉપકારી પ્રત્યે પ્રીતિભાવ રાખ તેને ભક્તિ નહિ, પણ કૃતજ્ઞતાજ લેખવી જોઈએ. અનેક સમયે નિકૃષ્ટ મનુષ્યો પણ આપણુપર ઉપકાર કરી શકે છે. ભક્તિ આપણી પિતાની ઉન્નતિને અર્થે છે. જેનામાં ભક્તિભાવ નથી હોતો તે પિતાના ચરિત્રની ઉન્નતિ કરી શકતા નથી. લગુરુપ્રત્યે ભક્તિભાવ રાખવા વિષે મેં જે હમણું તને ઉપદેશ કર્યો તે પુનઃ યાદ કર. દાખલાતરીકે તું કેઇ એક ગ્રંથકારનો ગ્રંથ વાંચવા બેઠો છે. હવે જો તને તે લેખક કિંવા ગ્રંથકારપ્રત્યે ભક્તિ ભાવ ન હોય તો તે ગ્રંથ તારા ઉપર કોઈ પ્રકારનો ઉપકાર કરી શકે નહિ. ગ્રંથમાંને ઉપદેશ તારા ચરિત્ર ઉપર કશી અસર ઉપજાવી શકે નહિ. એટલું જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com