________________
અધ્યાય ૮ - શારીરિક વૃત્તિ
તે ગમે તેમ હો. મદ્યસેવનના સબંધમાં મારે મત ટુંકમાં આ પ્રમાણે છે - (૧) યુદ્ધકાળે પરિમિત મધસેવન થઈ શકે, (૨) સુયોગ્ય ચિકિત્સકની આજ્ઞાનુસાર રોગાદિમાં તેનો ઉપયોગ કરી શકાય, (૩) તે સિવાય મદ્યપાન કરવું અનુચિત છે. શિષ્ય –માંસાહારસંબંધે આપનો શું મત છે ?
ગુસ–મસ્ય–માંસ શરીરને ઉપકારી છે કે અપકારી છે તેને નિર્ણય કરવો તે વૈજ્ઞાનિકોનું કામ છે. ધર્મવેત્તા તે માત્ર એટલું જ કહી શકે કે મત્સ્ય-માંસને આહાર કરવાથી મનુષ્યની પ્રીતિવૃત્તિના અનુશીલનને ધકે પહેચે છે, તેથી તે નિષિદ્ધ છે. ભૂતમાત્રમાં પ્રીતિ રાખવી એ હિંદુધર્મને મુખ્ય સિદ્ધાંત છે. અમારે અનુશીલનવાદ પણ તે સિદ્ધાંતને સ્વીકાર કરે છે, પણ આમ કહેવા ઉપરથી અનુશીલનવાદ હિંદુધર્મથી કાઈ જુદોજ મતવાદ છે, એમ માની લઈશ નહિ. અનુશીલનવાદ પણ હિંદુધર્મનો જ એક વિષય છે. - શારીરિક વૃત્તિના અનુશીલનસંબંધે વિવેચન કરતાં (૧) વ્યાયામ (૨) શિક્ષણ તથા (૩) આહારના વિષયમાં મેં મારા વિચારો જણુવ્યા. હવે (૪) ઇન્દ્રિયસંયમના સંબંધમાં મારે બે બોલ કહેવા જોઇએ. શારીરિક વૃત્તિના અનુશીલનને માટે ઈન્દ્રિય-સંયમની અત્યંત જરૂર છે, એ વાત તને વિસ્તારપૂર્વક સમજાવવાની અગત્ય હું જોતો નથી. ઇન્દ્રિયસંયમના અભાવે શરીર યોગ્ય પ્રમાણમાં પરિપુષ્ટ થઈ શકતું નથી, વ્યાયામ કરવા જેટલી ધીરજ રહેતી નથી, શિક્ષણની સાર્થકતા થઈ શક્તી નથી, એટલું જ નહિ પણ જે આહાર હાજરીમાં જાય તે આહાર પણ સંપૂર્ણ રીતે પચી શકતા નથી, અને તેને લીધે શરીરમાં જેવું જોઈએ તેવું બળ આવતું નથી. તે સિવાય ઈદ્રિયોને સંયમમાં રાખવી એજ ઇન્દ્રિયોનું યોગ્ય અનુશીલન છે, એ વાત હું ન ભૂલતો હોઉં તો તને આગળ સમજાવી ગયો પણ છું. આટલે દૂર આવ્યા પછી મારે તને યાદ આપવું જોઈએ કે ઇન્દ્રિયસંયમ એ માનસિક વૃત્તિના અનુશીલનને સંપૂર્ણ આધીન છે; કારણ કે જે માનસિક વૃત્તિ નિર્બળ હોય તે શરીર ઉપર જે જોઈએ તે અંકુશ રહી શકે નહિ. સારાંશરૂપે મારે કહેવું જોઈએ કે હું આગળ જણાવી ગયો તેમ માનસિક વૃત્તિનું ઉચિત અનુશીલન, શારીરિક વૃત્તિના અનુશીલનના ઉપર આધાર રાખે છે; તેવીજ રીતે હવે તું જોઈ શકશે કે શારીરિક વૃત્તિનું ઉચિત અનુશીલન પણ માનસિકવૃત્તિ ઉપર આધાર રાખે છે. આ પ્રમાણે શરીર તથા મન એકબીજા સાથે બહુજ ગાઢ સંબંધથી જોડાયેલાં છે. એકના અનુશીલન સિવાય અન્યનું અનુશીલન કોઈ કાળે સંભવે નહિ. જે કર્મોપદેશકો કેવળ માત્ર માનસિક વૃત્તિના અનુશીલન ઉપરજ ભાર મૂકીને બેસી રહે છે, તેઓનો
૪ આ મૂળ પુસ્તક ઘણું વર્ષપર લખાયેલું હોઈને તે પછી ઘણાખરા વૈજ્ઞાનિ કાએ માંસાહાર નુકશાનકારક હેવાનું જ જાહેર કરેલું છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com