SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરને મહિમા, તેનું જ્ઞાન, તેને પ્રેમ અને ન્યાય પ્રગટ કરે છે, અને ઈશ્વર ન હોય તો તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેમજ તેઓમાં શો અર્થ રહેલો છે તેનું સ્પષ્ટીકરણ થઈ શકે નહિ, ખરાખેટાનો ભેદ દરેક માણસ સમજે છે. ઓછાવત્તા સારાપણાનું ભાન દરેક માણસને થાય છે. હવે અમુક કૃત્ય બીજા કરતાં સારું છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બંને કૃત્યોને બીજા કશાની સાથે સરખાવીને આપણે એમ કહીએ છીએ. જાણે અજાણે ભલાઈનું અમુક નિરપેક્ષ ધોરણ આપણા મનમાં હોય છે, નહિ તે કોઈ પણ જાતને મુકાબલે આપણુથી થઈ શકે નહિ. આપણે ખોટું કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણને એવું પણ ભાન થાય છે કે જે નિયમ ભંગ કરીએ છીએ તે કાંઈ આપણા સ્વભાવમાંથીજ ઉદ્દભવ્યો હોય, અથવા લેકરિવાજ કે સામાજિક કાયદામાંથી દૂકાવ્યો હોય એવો તો નથી જ. એથી ઉલટું સષ્ટિની પાછળ અમુક ભલાઈનું નિરપેક્ષ ધારણ હોય અને તેની સાથે આપણે અથડામણમાં આવ્યાં હોઈએ એવી અસર આપણા ઉપર થયા કરે છે. આ ધોરણને ઈશ્વર નામ આપીએ છીએ, પરંતુ તેને જાણવાની રીતમાં અને ભૌતિકવાનોને જાણ વાની રીતમાં ફેર છે. ભૌતિક વાનાં જાણવા માટે આપણે તેમની નિરીક્ષા કરીએ છીએ. તેમની તથા આપણી વચ્ચે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞને સંબંધ છે પણ જેને નિરપેક્ષ ધારણ કહીએ છીએ તે આપણે માટે કદી પણ ક્ષેત્રરૂપ બની શકે નહિ. તે તે ક્ષેત્રજ્ઞ છે; વળી તે સર્વોત્કૃષ્ટ ક્ષેત્રજ્ઞ છે. તે વ્યક્તિ છે. જેમ આપણે એકબીજાને ઓળખીએ છીએ તેમ તેને પણ આપણે ઓળખી શકીએ માટે તે આપણને સાથ આપે, તે પિતાને આપણને પ્રગટ કરે એવી, આવશ્યક્તા રહે છે. ખ્રિસ્તી ધર્મ એવું શીખવે છે કે ઈશ્વરે આપણને પિતાનું પ્રકટીકરણ કર્યું છે. તે પ્રકટીકરણ બાઇબલમાં સમાએલું છે. તે વિષે આ વ્યાખ્યાનમાળાનાં બીજા વ્યાખ્યામાં વધુ વિસ્તારથી લખવાને મારા ઇરાદે છે. અહીં આગળ તો માત્ર ખ્રિસ્તી ધર્મના તત્વજ્ઞાનના મુખ્ય મુદ્દાઓ જણાવીને આ વ્યાખ્યાન સમાપ્ત કરીશ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034497
Book TitleDharmna Tattvagyanna Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorW Graham Mulligan
PublisherKrushnalal Mohanlal Zaveri
Publication Year1946
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy