________________
પ્રકરણ ૧૧ મું ]
છે. શિવાજી ચરિત્ર સુલતાને એની ઈચ્છા માન્ય રાખી પણ દિલેરખાન આ સંદેશાઓને એથે દગો રમી રહ્યો હતો. આ ખબર સુલતાનને પડતાંજ એણે મુગલ લશ્કર ઉપર અચાનક છાપે માર્યો. દિલેરખાન ત્યાંથી ગુલબર્ગા તરફ નાઠે. મુગલોને આ લડાઈમાં ભારે નુકસાન થયું. જેમ તેમ કરી દિલેર ગુલબર્ગા પહોંચ્યો. રજપુત સિપાહીઓના શૌર્યને લીધે જ દિલેર સહીસલામત જઈ શકયો અને અબહસન ત્યાં અટકી ગયે. બહિલેલખાનની નાસીપાસીને પાર ન રહ્યો. લશ્કરના સિપાહીઓના ચડેલા પગાર એ આપી શકત. ન હતો. સિપાહીઓ પગાર માટે આકળા બની ગયા હતા. આ અને બીજી અનેક ચિંતાઓને લીધે એની માંદગી વધવા લાગી. લશ્કરમાં ભરણપોષણના પ્રશ્ન અને બહિલખાનની માંદગીએ પણ ગંભીર રૂપ પકડયું હતું. આ માંદગીને લાભ ઉઠાવવા દિલેરખાન તૈયાર થયો. એના વિરોધી સીદી મસાઉદને એણે સાધ્યો અને એની સાથે શરત કરી એને બહિલખાનની જગ્યા દરબારમાં અપાવવાનું વચન આપ્યું. સીદી મસાઉદ અને દિલેર મળી ગયા. દિલેરખાન ત્યાર પછી મરણ પથારીએ પડેલા બહિલાલખાનને મળ્યો અને ગઈ ગુજરી ભૂલી જઈ પિતાને હદે સીદી મસાઉદને રાજીખુશીથી આપવા સમજાવ્યો. બહિલોલ ખાન તે કાયર થઈ ગયો હતે. લશ્કરના નોકરોના ચડેલા પગાર ભરપાઈ કરવાની જવાબદારી સીદી મસાઉદ પોતાને માથે લઈ લે તે તેની તરફેણમાં પિતાના હોદ્દાનું રાજીનામું આપવાની બહિલાલખાને હા પાડી. સીદી મસાઉદે લશ્કરના ચડેલા પગારની જવાબદારી પિતાને માથે લીધી પણ હોદ્દાની લગામ હાથમાં લીધા પછી એણે તદન નાગે જવાબ દીધો અને પગાર માટે તે બહિ જવાબદાર છે, એની પાસેથી ભરપાઈ કરી લે એમ એણે લશ્કરને જણાવ્યું. આવા જવાબથી લશ્કર બહિલાલખાનની સામે ઉશ્કેરાઈ ગયું અને એમણે બંડ ઉઠાવ્યું. આવી સ્થિતિમાં જ્યાં મસાઉદ જેવાની સાથે પાનાં પડ્યાં ત્યાં બીજું શું થાય? એને મરે જ æકે થયો. બંડખોરોએ એનું ઘર અને એના બરાં છોકરાં લુંટી લીધાં. લશ્કરના સંખ્યાબંધ સિપાહીઓએ આમ કડવા અસંતેષમાં આદિલશાહી છોડી. આ સિપાહીઓમાંના કેટલાક મુગલોની નોકરીમાં, કેટલાક કતબાહીમાં અને કેટલાક મહારાજના લશ્કરમાં જોડાયા.
દિલેરખાનની દક્ષિણની કાર્યવાહીથી બાદશાહ ખુશી થયો નહિ તેથી એણે પિતાના પુત્ર શાહજાદા મુઝીમને દક્ષિણને સૂબેદાર બનાવ્યું અને દિલેરખાનને એના હાથ નીચેનો અમલદાર બનાવી દીધું. બહિલેલખાન મરણ પામ્યો એટલે એના પક્ષના બીજા કાબેલ સરદાર જમશેદખાને રાજ્યના સૂત્રો પિતાના હાથમાં લીધાં. એ મહત્ત્વાકાંક્ષી હતું પણ મહત્ત્વાકાંક્ષાના પ્રમાણમાં શક્તિ ધરાવતા ન હતા. નબળાઈને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવાની એનામાં શક્તિ ન હતી. એ તે અનેક અડચણ અને કડી દશાને લીધે ભારે ચિંતામાં પડ્યો. એણે બિજાપુરને કિલ્લે શિવાજી મહારાજને બહુ મોટી રકમની લાંચ લઈને આપી દેવાનો ઘાટ ઘડ્યો હતો અને કિલાની કિંમત તરીકે ૬ લાખ પેગડા લેવાનું નક્કી કર્યું હતું. આ વાતમાં એ કાવ્યો નહિ. એ બેવકક બન્યો અને સીદી મસાઉદે આ તકને લાભ લીધો અને સત્તા ઉપર આવી ગયો.
૮. આદિલશાહી ઉપર આફત. આદિલશાહીની અંતરવ્યવસ્થામાં ડોકિયું કર્યા સિવાય મહારાજના ચરિત્રનાં આ પ્રકરણમાં સંબંધ વાંચક સહેલાઈથી સમજી શકશે નહિ માટે બહુ ટૂંકમાં એ પ પડું થઈ રહેલી સત્તાની અંદરની વ્યવસ્થાની વાંચકોને ઝાંખી કરાવીએ છીએ. અબદુલકરીમ બહિલેલખાનના મરણ પછી આદિલશાહી સત્તાને સાચે સૂત્રધાર અછવાની પ્રાન્તને સૂઓ સ. સીદી મસાઉદખાન બની બેઠા હતા. આ વખતે મસાઉદખાન એ રાજ્યના મુખ્ય ચાલાક હતા અને દરબારનો એ સૂત્રધાર હતું. માંહોમાંહેના બધા ઝગડાએ પતાવી દેવા એણે ઘણા પ્રયત્ન કર્યા પણ એ એમાં ફાવ્યો નહિ. બહિલેલખાન એ પઠાણ 78
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com