SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચત્રિ ૪. ખાનના વધ. શિવાજી મહારાજ ગઢ ઉતરી મંડપ તરફ આવવા નીકળ્યા. જાસુસો પાસેથી મહારાજે જાણ્યું કે ખાનની સાથે સૈયદબંદા છે ( બડા સૈયદ ) તેથી મહારાજે પતાજી પત વકીલને ખેલાવ્યા અને તેની મારફતે ખાનને કહેવડાવ્યું કે શિવાજી રાજા પણ પોતાના ખાસ ખબરદાર તાનાજી માલુસરેને મંડપ બહાર રાખવાના છે, તે સૈયદબંદાને પણ મંડપ બહાર રાખવાની ગેાઠવણ કરવી. પતાજી પતે ખાનને કહ્યું કે “ સૈયદબંદાને જોઈ ને મહારાજ ગભરાય છે અને અંદર આવવાની એમની હિંમત ચાલતી નથી. ખાનસાહેબને એ પોતાના કાકા માને છે અને વડીલ સમજીને મળવા આવે છે. હમણાં સુધી બધી ખાજી પેશ ગઈ છે. હવે થાડા માટે ખાનસાહેબ ન બગાડે એટલી મારી વિનંતિ છે. ' ખાન પોતાની બેઠક ઉપરથી શિવાજી મહારાજને જોઈ શકતા હતા. શિવાજી મહારાજે પોતાની તલવાર જીવા મહાલાને આપી હતી અને પોતે તેા નિઃશસ્ત્ર દેખાતા હતા. ખાને વિચાર કર્યો કે જ્યારે તાનાજી માલુસરેને શિવાજી બહાર રાખવા તૈયાર છે, તેા સૈયદબંદાને બહાર મેાકલવામાં હરકત નથી. ખાને સૈયદબદાને મંડપ બહાર જવા સૂચના કરી. હવે મડપમાં જવા મહારાજ મ`ડપને દરવાજે આવ્યા. મહારાજ, જીવા મહાલા અને શંભાજી કવજી સાથે મંડપમાં પેડા. હવે મંડપમાં નીચે પ્રમાણે માણસા થયાંઃ— ૧. શિવાજી મહારાજ. ર. ૫તાજી પત વકીલ. પ્રકરણ ૨ જી ] ૧. ખાનસાહેબ. ૨. કૃષ્ણાજીપત વકીલ. ૩. ખાનને અમલદાર. ૪. "" ૩. જીવા મહાલા. ૪. 'ભાજી વજી, ૨૩૩ મંડપ મહાર. ૧. સૈયદબંદા. ૧. તાનાજી માલુસરે. ખાન પોતાની બેઠક ઉપર બેઠા મહારાજ મંડપમાં દાખલ થયા અને ધીમે ધીમે આગળ વધ્યા. હતા તે ઉભા થયા અને શિવાજીની સામે ગયા અને પતાજી પતને પૂછ્યું શિવાજીરાજા તે આજ કે ? ” પતાજી પરંતે જવાબ આપ્યા “ હા, આ પોતે જ શિવાજી મહારાજ. ” પછી શિવાજી મહારાજે કૃષ્ણાજીપ’તને પૂછ્યું: “ ખાન તે આજ કે શું? '' કૃષ્ણાજીએ જવાબ આપ્યા r હા '' ( શ્રી. માડક કૃત પ્રતાપાન યુદ્ધ પા. ૧૮૧. શ્રી. ચિટણીસ કૃત શ્રી શિવછત્રપતિ મહૃાાન પા. ૧૩૩ ). "C kr તે જમાનામાં ખરેારિયા એકબીજાને ભેટીને માન આપતા. એ રીત પ્રમાણે શિવાજીને ભેટવા માટે ખાન આગળ આવ્યેા. આવતાં આવતાં મહારાજના વૈભવ જોઈ મનમાં બળી રહેલા ખાતે પેાતાના ગુસ્સા શબ્દો વાટે બહાર કાઢવો અને ખેલ્યું। શિવાજી ! તું એક સાધારણુ સરદારને છેકરા છે, તો પછી આ બધું ધન તું ક્યાંથી લૂટી લાબ્યા ? ” શિવાજીને આ શબ્દો તલવારના ઝાટકા જેવા લાગ્યા અને તરતજ મહારાજે ગરમ થઇને ખાનને જવાબ આપ્યા હું લૂટીને લાવ્યેા કે શી રીતે લાગ્યે તે જોવાનું કામ મારું છે. બાદશાહના ભિયારખાનામાં ખાણું પકવનારના છેકરાએ એની પંચાતમાં ન પડવું ” (History of the Maratha People. Page 161. ). ખાન બહુ ઊ ંચા, જાડા, જબરા અને પુષ્કળ ખળવાળા હતા. આવા જબરા કદાવર માણુસની સામે શિવાજી મહારાજ એક નાના છેકરા જેવા દેખાતા. ખાને બે હાથ પહેાળા કરી, શિવાજી મહારાજને ભેટવા દેખાવ કરી મહારાજને બાથમાં લીધા અને મહારાજનું ડાકુ બગલમાં ધાલી જોરથી દાબ્યું એટલે મહારાજ દગા સમજી ગયા અને માથું છેડાવવાના પ્રયત્ન કર્યાં, પણ એ ફાગઢ ગયા. ખાતે મહારાજનું માથુ આવી રીતે કબજામાં લઈ, પેાતાને જમણે હાથે કમરની ડાખી બાજુએ સંતાડી રાખેલી જમઢાઢ મ્યાનમાંથી કાઢી મહારાજની ડાખી કૂખમાં ધાંચવાના પ્રયત્ન કર્યાં ( પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૮૪૮ ). મહારાજે અંદરથી અખ્તર, પહેર્યું હતું તેથી જમદાઢ અંદર પેસી શકી નહિ. મહારાજે હિંમત પી 30 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy