________________
ચારૂપનું અવલોકન.
હજાર વર્ષનાં ચકે જેના શિખર ઉપરથી વાયુની લહરીયોની માફક ફરી ગયાં છે, જેને પ્રજાની પુરી જાહેરજલાલી જેણે વારંવાર વર્ષોનાં વર્ષો જોઈ છે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ આચાર્ય અને કુમારપાળ જેવા વિદ્વાન નરેશના પ્રતાપિ સમયમાં જેન સંઘોનું સામર્થ્ય, ઉત્તમ વ્યવસ્થા, સલાહસંપ અને આબાદીની ગર્જનાઓમાં જેણે પિતાને સુર પુર્યો છે તે ચારૂપનું નામ જૈન સમાજથી આજે અજાણ્યું નથીઃ કલેશમય સામાજીક પરિવર્તનમાંથી હમણાંજ તે સ્વસ્થ થયું છે અને ભારતવર્ષના જૈન સમાજની દ્રષ્ટિ તેણે પોતાના તરફ આકષી છે.
ગુજરાતના પ્રાચિન પાટનગર અણહીલપુર પાટણથી તે ચાર ગાઉ દૂરનું એક નાનું ગામડું છે. ફક્ત સો દોઢસો ઘરની ખેડુતની વસ્તીવાળા એ ગામમાં કે જ્યાં જેનેનું એક પણ ઘર નથી ત્યાં શ્રી શામળાજી પાર્શ્વનાથનું (શામળાજીનું) જૈન દેવાલય છે કે જ્યાં ભુતકાળના જૈનેના નિવાસવાળા એક આબાદ સ્થાનનાં ખડીયે ભુગર્ભમાં લપાયાં છે તે ખ્યાલ આવે છે. જે પુણ્યપ્રતિમાજી ત્યાં વિરાજે છે તે ૫૮૯દદર વર્ષ ઉપર ભરાવેલાં કહેવાય છે. “ શ્રીકાંત નગરીને ધનેશ નામને શ્રાવક દરિઆઈ સફરે જવા માટે વહાણમાં બેઠે અને વહાણ હંકારવાને હુકમ કર્યો, પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાણને થંભન કરી દીધું હતું એટલે બને છે તે વ્યંતર દેવતાની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યંતર દેવે પ્રસન થઈ સમુદ્રભૂમિમાંથી શ્યામવર્ણની ૩ પ્રતિમાઓ લાવી શેઠને તેની પ્રતિષ્ઠા કરવા કહ્યું. આ ઉપરથી શેઠે તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામે પ્રતિષ્ઠીત કરી. પહેલી પ્રતિમાજી શામળાજી પા. નાથજીની હતી; (જે અત્યારે બિરાજમાન છે, અને જેને ચુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com