SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોકેએ લગ્ન માટે ઉતાવળ કરવી જરૂરની નથી. ધીરજ રાખવી, લગ્ન માટેના પ્રયત્નો અજમાવ્યા કરવા. અને એનાં ફળ મીઠાં જ આવશે. ઉતાવળ કરવાથી પરિણામ દુઃખદાયક આવવાની સંભાવના રહે છે. કેમ્બિક સુખ આગળ જણાવ્યું તેમ આ લોકો પોતાના ઘર અને કુટુઅને ચાહનારા થશે. પોતાના કૌટુમ્બિક બનાવોમાં તેઓ ઊંડે રસ લેશે. સ્ત્રી બાળકનું સુખ તેમને મળશે અને તેઓ પણ તેમને પોતાનું સુખ આપી શકશે. આ લોકોને ભાઈઓ તરફથી સુખ મળવાની આશા રહેતી નથી. તેમની તરફથી તેમને નિરાશા જ મળ્યા કરશે. પાછલા જીવનમાં તેમને પુત્રો તરફથી સારે ટેકે મળશે. ભણગણુને ધંધે લાગેલા તેમના પુત્રે પિતાના ભારને હળવો બનાવશે અને તેમને બધી ચિન્તાઓમાંથી મુકત કરશે. આ લોકોને એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાના સંજોગો પણ છે. ધંધે આ રાશિમાં જન્મેલાઓ મોટા વ્યાપારીઓ અને કારીગરો પણ બને છે. ખાસ કરીને પ્રવાહી પદાર્થોવાળા ધંધામાં તેમને નસીબ સારી યારી આપે છે. ઘી-તેલ કે દારૂના વ્યાપારમાં તેમને સિતારે ચમકી ઊઠે છે. દરિયાઈ વ્યાપારમાં કે પછી નૌકા ખાતામાં પણ તેઓ ફાવે તેમ છે. નાણાથી ઉથલપાથલવાળા ધંધામાં, મોટા વ્યાપારમાં, કે પછી સટ્ટામાં પણ આ લોકો સારે લાભ મેળવે એવા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy