SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આજ કારણને લઈને ઘણા વૈજ્ઞાનિક તેમજ સાહિત્યકારે આ રાશિની તારીખમાં જન્મેલા મળી આવશે. તેઓ બોલવામાં મધુર અને વાચાળ હોવાથી સારા વકતા, વિદ્વાન, પ્રોફેસર કે ભાષણક્ત પણ થઈ શકે છે. વર્ણનાત્મક લેખે લખવામાં કુશળ ગ્રંથકાર, ઉતમ નિબંધ લેખકે, સુંદર નવલકથાકાર, અને ઉતમ કવિઓમાંના ઘણાંઓનો જન્મ આ રાશિની અસર નીચે થયેલે માલમ પડી આવે છે. આ રાશિની તારીખેમાં જન્મેલા પુરુષે ઉતમ વકતા અને શિક્ષકે પણ થાય છે. સ્વીસ્બર્ગ, વર્ડઝવર્થ, હેન્સ એન્ડરસન આદિ વિખ્યાત કવિ, વાર્તાકાર અને લેખકે આ રાશિની અસર નીચેજ જન્મ્યા હતા. વિલિયમ હાર કે જેણે શરીરમાં લેહી કેટલી ગતિએ અને કેવી રીતે ફરે છે તે શોધી કાઢયું હતું તે પણ આજ તારીખેમાં જન્મ પામ્યા હતા. પ્રસિદ્ધ હિંદી ચિત્રકાર રવિવર્મા અને પ્રસિધ ઇટાલિયન ચિત્રકાર રાફેલ પણ આજ રાશિની અસર નીચે જમ્યા હતા. આ તારીખેની અસરવાળાઓ સંગીતકાર, નૃત્યકાર અને સિનેમા નટો તરીકે પણ જીવન જીવી શકે છે. એક તો તેમને આ વિષયેન શેખ હોય છે અને બીજું તેમનામાં હાવભાવની શકિતઓ હોય છે એટલે તેઓ આ ધંધામાં સારી નામના પ્રાપ્ત કરે છે. બેટી બેલ્ફર શાહી નાટયગૃહમાંથી માત્ર ૧૧ વર્ષની વયે જ પ્રશંસાને પામી હતી. મશહુર સિનેમા નદી મેરી પીકફર્ડ ૫ વર્ષની વયે જ પડદા પરની રાણી બની હતી. ચાલી ચેપલીન પણ બાલ્યકાળથી જ કીતિને વર્યો હતો. ઉગતી વયમાં જ ખ્યાતિ મેળવી જનારા આ બધાઓ મેષ રાશિની તારીખની અસર નીચે જ જમ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy