SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતધામ ઉપર આરોપ કરવા મંડી પડીએ છીએ. એટલા માટે ગેરા પ્રભુ કંઈક રાગ કરે છે. તેઓ કહેવા મંડી પડે છે કે, નવાબ જ્યારે જુલમ કરતા, મરાઠા ક્યારે લૂંટફાટ કરતા, ઠગ લોકો જ્યારે ગળે ફાંસે નાખતા ત્યારે તમારી કે ગ્રેસના સભાપતિ અને વર્તમાનપત્રના અધિપતિએ કયાં ગયા હતા ? અને હેત તે પણ શું કરવાના હતા ? ત્યારે તે બહારવટીઆ હતા, મરાઠા હતા, રાજપૂત હતા; ત્યારે બળ સામે બળ વિના બીજ ગતિ ન હતી. અને તે પછી ચેરની પાસે ધર્મકથા કરવાનું ય કેઈને સૂઝતું ન હતું. આજ કેંગ્રેસ અને વર્તમાનપત્રે જે બહાર નીકળ્યાં છે તેનું કારણ પણ એ જ છે કે, અંગ્રેજ માત્ર બળની વાતે નહિ, પણ સાથે ન્યાયની પણ વાત કરે છે. ચેરને ધર્મની વાત સંભળાવીએ તે એ ન માને, તોય ધર્મને અનુ સરતે જવાબ આપવાનો પ્રયત્ન કરે અને પછી તે એ સભ્ય જવાબ દઈ ન શકાય, તે પણ બળ વાપરતાં સંકેચ થાય. આથી જ અંગ્રેજ આ દેશની સભાઓ અને વર્તમાનપત્રાના આક્ષેપને જવાબ આપવાને પ્રયત્ન કરે છે તે પણ તે પિતાના જાતિભાઈઓની ધર્મબુદ્ધિથી દુઃખ પામે છે. તેઓ હવે ઉંમરે મોટા થયા છે, પોતાના કલંકથી પોતે શરમાતાં શીખ્યા છે, એથી તેઓ બહુ દુ:ખ પામે છે. એક હિસાબે તેઓ કંઈક દુખી છે. એક બાજુએ ભૂખના દુઃખથી પ્રાણ ટળવળે છે, બીજી બાજુએ પારકાનું અન્ન કાઢી લેવાતું નથી એ પણ ભારે સંકટ છે! જાતિને જીવ પણ જાળવવું જોઈએ, આબરૂ પણ જાળવવી જોઈએ. બીજાની ઉપર અન્યાય કરવાથી એને તે નુકસાન થવાનું હોય તે થાય, પણ પિતાને ધર્મને પાચો પણ ખોદાય જ. ગુલામો ઉપર જે લેકે જુલમ કરે છે તેઓના ચરિત્રને નાશ થાય છે. ધર્મને સર્વ પ્રયને જે બળવાન ન રખાય તે જાતિનું બંધન ધીરે ધીરે ઢીલું પડી જાય. બીજી બાજુએથી પેટ ભરીને ખાવાનું મળે, એટલે વસતી વધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy