SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતધર્મ વાન છે એટલું તે સાબિત થાય, પણ અકબરના સ્વમમાં તે એવું કશું જ નહોતું. અંગ્રેજ કવિ મિથ્યાભિમાન છેડીને નમ્રભાવે પ્રેમથી પિતાની જાતિને ઠપકે આપે, એ ઊંચે આદર્શ શીખવે તે તે જાતિનું પણ કલ્યાણ થાય અને આશ્રિત જાતિને પણ ઉપકાર થાય. અંગ્રેજને પિતાની જાતિ ને ગર્વ–પિતાની સંસ્કૃતિનું અભિમાન શું કામ છે કે કવિ એ અમિમાં આહુતિ હમે છે? હજીયે શું નમ્રતા ને પ્રેમ શીખવાને દિવસ આ નથી? સૌભાગ્યને ઉંચે શિખરે ચઢીને અંગ્રેજ કવિ શું પિતાને જ કે વગાડશે ? - પણ આપણે જેવી પતન પામેલી જાતિને એ તે એવી વાત શેભે નહિ, બે લતાં પણ લાજ આવે. પ્રેમની ભીખ માગવા જેવી બીજી દીનતા નથી. આ સંબંધે પણ એક બે વાત સાંભળવી પડશે. પૂજ્ય પ્રતાપચન્દ્ર મજુમદારના એક પત્રના ઉત્તરમાં લંડનનું “સ્પેકટેટર ” લખે છે કે “નવીન બંગળીઓમાં અનેક સારા ગુણ છે, પણ એક દોષ એ છે કે, સહાનુ ભૂતિની એમને બહુ લાલસા છે.” એ દેષ સ્વીકાર પડે છે, અને આજ સુધી જે મેં લખ્યું છે તેમાં પણ એ દેષ વારંવાર નજરે પડે છે. સાહેબ લેકેના હાથે આદર પામવાની આપણું લાલસા હદ કરતાં વધારે થઈ આવે છે. એનું કારણ એ છે કે આપણે “સ્પેકટેટર ના જેવી સ્વાભાવિક સ્થિતિમાં નથી. તરસ્યા થઈને આપણે જ્યારે લેટે પાણી માગીએ, ત્યારે સરકાર આપે બીલું. પાણ કરતાં બીલું મેંઘું પણ ખરું ને બીજે કામમાં આવે પણ ખરું, છતાં એથી તરસ ન છીએ. અંગ્રેજના રાજ્યમાં નિયમ છે, જાય છે, બધું સારું છે, પણ એથી પ્રજાના હૃદયની તરસ છીપતી નથી. ચણા શેકીશેકીને ખૂબ ખવરાવે, અને એથી તરસ ખૂબ વધે પાણી માગીએ ત્યારે આપે બીલું. દેશદેશાન્તરનું ખાવાપીવાનું પુષ્કળ લૂંટી લાવી “સ્પેકટેટર' ભજન કરવા બેસે, ત્યારે બારીમાંથી નજર નાખતાં તરસ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy